________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫.
પ્રશમરતિ વિષય છે સર્વ દ્રવ્યાં! અનંત દ્રવ્યો! જેટલાં દ્રવ્યો તેટલા મતિજ્ઞાનના વિકલ્પો! મતિજ્ઞાન એટલે બુદ્ધિ! મતિજ્ઞાન એટલે પ્રજ્ઞા! બુદ્ધિના અનંત-વિકલ્પો છે! કહો એમાંના કેટલા વિકલ્પો છે તમારી બુદ્ધિના? કેટલાં દ્રવ્યોને જાણે છે તમારી બુદ્ધિ?
બીજી વાત : એક સાથે અનેક માણસો જુદા જુદા શબ્દો બોલે, તમે એ દરેકના શબ્દો સાંભળીને એ જ રીતે જુદા જુદા શબ્દો યાદ રાખી શકો? છે આવી ગ્રહણશકિત? એક સાથે એક પછી એક સો શબ્દ તમને સંભળાવવામાં આવે, તમે એ જ ક્રમથી યાદ રાખી શકશો એ સો શબ્દો?
મતિજ્ઞાનના, બુદ્ધિના આઠ પ્રકાર તમે જાણો છો ને? શશ્નપા વગેરે. તમને ખબર છે એના અવાંતર કેટલા પ્રકાર છે? અનંત! એ નહીં સહી, તમારી પાસે
ત્પાતિક બુદ્ધિ છે ખરી? જે અભયકુમાર પાસે હતી, તેવી ? પ્રશનની સાથે જ સચોટ જવાબ આપવાની બુદ્ધિ છે? તો પછી અભિમાન કોના પર કરવાનું? હા, આવી બધી વિશિષ્ટ બુદ્ધિ હોય અને અભિમાન કરતા હો તો હજુ પણ શોભે! જો આવી વિશિષ્ટ બુદ્ધિ નથી અને ગર્વ કરો છો તો તમે જરાય શોભતા નથી.
શું તમે વ્યવસ્થિત તર્ક પણ કરી શકો છો ખરા? તર્કની સામે પ્રતિતી ક્યાં સુધી કરી શકે? દલીલની સામે દલીલ ક્યાં સુધી કરી શકો? તમારા તર્કન, દલીલને બીજાઓ તોડી ન શકે એવા તર્ક, એવી દલીલો તમે કરી શકો છો ખરા? માત્ર પથરા ફેંકવા એ દલીલ નથી, એ તક નથી. “તર્ક'નું પણ શાસ્ત્ર છે! બંધારણ છે! જાણો છો એ શાસ્ત્રનું? જો નથી જાણતા તો અભિમાન કરવાનું ત્યજી દો. બુદ્ધિમંદતાનો સ્વીકાર કરી લો. એમાં તમે હલકા નહીં લાગે, મૂર્ખ નહીં ગણાઓ.
તમે તમારા કરતાં ઓછી બદ્ધિવાળા મનુષ્યોને જોઈને તમારી જાત માટે કલ્પના બાંધી લીધી કે “હું બુદ્ધિશાળી! મારા જેવો કોઈ બુદ્ધિશાળી નહીં!' બરાબરને? પરંતુ જરા ભૂતકાળ તરફ દૃષ્ટિ કરો. ભૂતકાળમાં થઈ ગયેલા અભુત બુદ્ધિ ધરાવનારા મહાપુરુષો સાથે તમારી તુલના કરો. તમને તમારી જાત સાવ વામણી લાગશે, બુદ્ધિહીન લાગશે.
ભગવાન મહાવીર સ્વામીના એ સૌથી નાનકડા ગણધર પ્રભાસને જુઓ. સોળ વર્ષની વયે એમણે દ્વાદશાંગીની રચના કરી દીધી હતી! માત્ર ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના! વા વોડું વા ઘુડ઼ વાં' આ ત્રણ પદો
For Private And Personal Use Only