________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતકારી વચનની અવગણના
૧૩૯ કુળ, રૂપ, બલ, લાભ, બુદ્ધિ, જનપ્રિયત્વ અને કૃતના મદથી આંધળા અને નિઃસત્ત, આ ભવમાં કે પરભવમાં ઉપકારી એવા પણ અર્થને સિર્વજ્ઞવાણીરૂપી જતા નથી.
વિવેચન : શરીરમાં જ્યારે વાત, પિત્ત અને કફ વિષમ બને છે ત્યારે શરીરમાં રાંગ જન્મે છે, શરીર અસ્વસ્થ અને બેચેન બને છે. જ્યારે પિત્તનો પ્રકોપ થાય છે ત્યારે શરીરમાં જે જે વિક્રિયાઓ જન્મે છે તેમાંની એક વિયિા જિન્દ્રિયની હોય છે, મીઠૌ-મધુર પણ પદાર્થ જીભને કડવો લાગે છે.
ગાયનું મીઠું દૂધ હોય, સાકર, પિસ્તાં, ઇલાયચી, બદામ, કેસર વગેરે પદાર્થો નાંખીને ઉકાળેલું હોય, હૃદયને ગમતું પણ હોય, પરંતુ પિત્તના પ્રકોપથી કડવી બની ગયેલી જીભને એ દૂધ ફડવું જ લાગે! જો એ પિત્તના પ્રકોપની અસર મન ઉપર થઈ ગઈ હોય તો બોલી ઊઠે : “આ તે દૂધ છે? કડવું વખ છે ... મારે નથી પીવું, લઈ જાઓ અહીંથી...' એ મધુર દૂધનો આસ્વાદ નથી કરી શકતો,
જેમ આ શારીરિક વિક્રિયા છે, તેમ જ્યારે માનસિક વિક્રિયા જન્મે છે ત્યારે એ મનુષ્યને સર્વજ્ઞવાણી કડવી લાગે છે! એ માનસિક વિક્રિયા હોય છે રાગ અને કંપની, રાગ-દ્વપનો પ્રકોપ પિત્તના પ્રકોપને પણ ટપી જાય તેવો હોય છે. રાગ-દેપના આ પ્રકાપ મનુષ્યને સ્વચ્છેદાચારી બનાવી દે છે. જાતિમદ, કુળમદ, રૂપમદ, બળમદ, લાભમદ, બુદ્ધિમદ, લોકપ્રિયતા-મદ અને શ્રુતમથી આંધળો બનાવી છે. સત્ત્વવિહોણાં પાંગળા બનાવી દે છે.
રાગની પ્રબળતા અને કંપની પ્રબળતા તીર્થકરોની પણ અવગણના કરાવી દે છે, ગણધરોની અને મહાન્ કૃતધરોની પણ આશાતના કરાવી દે છે. વાત્સલ્યપૂર્ણ હૃદયે કહેવાયેલી સત્ય, સુયોગ્ય અને સુંદર વાતોનો પણ તિરસ્કાર કરાવી દે છે.
ઉપસર્ગ સહન કરવા, પરીષહો સહન કરવા, ઇન્દ્રિયોનો વિરોધ કરવો... કપાયો ઉપર કાબૂ રાખવો, આ બધી સાધના કરી તો છે જ. કડવી વખ દવા પીવા જેવી છે, પરંતુ એનું પરિણામ કેવું મીઠું હોય છે! અનેક અચિન્ય સુખોને આપનારી એ સાધના હોય છે. પરંતુ વૈષયિક સુખોના તીવ્ર રાગમાં ફસાયેલો જીવાત્મા આ સાધનાને અવગણી નાંખે છે.
ભવ્ય જીવો પ્રત્યેની અનન્ત કરુણાથી મહાત્મા પુરુષા જે પરમ હિતકારી, અવિસંવાદી વાતો કહે છે, તે વાતોને રાગ અને રોપથી સળગી રહેલા જીવાત્માઓ સાંભળતા જ નથી. જમાલીમાં જ્યારે રોષથી ઉદ્ધતાઈ જાગી, પરમાત્મા.
For Private And Personal Use Only