________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮.
પ્રશમરતિ ચાલે. સર્વજ્ઞવાણી જે શાસ્ત્રોમાં, જે આગમોમાં, જે ગ્રંથોમાં સંઘરાયેલી છે, તે શાસ્ત્રોના, આગમોના, ગ્રંથના વિશિષ્ટ અભ્યાસી અને અનુભવી જોઈએ. તેઓનું સતત માર્ગદર્શન લઈને એ રસાયણનું સેવન કરવાનું હોય છે.
એવા નિઃસ્વાર્થ ઉપકારી મહાપુરુષોની બીજી કોઈ ફી હોતી નથી, તેઓને માત્ર તમારો વિનય, તમારા હૃદયનું બહુમાન અપેક્ષિત હોય છે. તમારી વિનમ્રતા અને વિનયપરાયણતા તેઓનાં હૃદયને તમારા પ્રત્યે આકર્ષિત કરશે. ખૂબ જ ધૈર્ય ધારણ કરીને, તેઓ જેમ સૂચવે તેમ રસાયણનો પ્રયોગ કરતા રહેવાનું એક ધન્ય દિવસે તમે શાશ્વત્ યૌવન પ્રાપ્ત કરવાના, આત્માનું અવિનાશી અનંત યૌવન પામી જવાના.
આ સૌભાગ્ય પેલા અવિનીતોનું નથી હોતું. એશ-આરામ, વૈભવ-વિલાસી અને રસલોલુપી મનુષ્યો પણ આ રસાયણનું સેવન નથી કરી શકતા. તેમના ભાગ્યમાં ત આધિ, વ્યાધિ અને ઉપાધિ જ હોય છે. જન્મ, જીવન અને મૃત્યનું કાળચક્ર જ હોય છે. અનાદિકાલીન કાળચક્રમાં જીવ પિસાતો આવ્યો છે, છતાં જ એની આંખો નથી ઊધડતી તો એને શું કહેવાનું? ગ્રન્થકાર મહાત્મા દુઃખી હૃદયે કહે છે : “આવું સર્વજ્ઞવાણીરૂપ અદભુત રસાયણ મળવા છતાં બિચારા મનુષ્યો એનું સેવન કરી શકતા નથી. એમનો અવિનય એમને આ મહાન લાભથી વંચિત રાખે છે.’
હિતકારી વચનની અવગણના यद्वत् कश्चित् क्षीरं मधुशर्करया सुसंस्कृतं हृद्यम् । पित्तार्दितेन्द्रियत्वाद्वितथमतिर्मन्यते कटुकम् ।।७८ ।। तद्वनिश्चयमधुरमनुकंपया सद्भिरभिहितं पथ्यम् । तथ्यमवमन्यमाना रागद्वेपोदयोवृत्ताः |७९ ।। जातिकुलरूपवललाभवुद्धिवाल्लभ्यकश्रुतमदान्धाः ।
क्लीवाः परत्र चेह च हितमप्यर्थ न पश्यन्ति ।।८।। અર્થ : મીઠી સાકરવાળા, સંસ્કાર કરેલા મસાલા નાંખીને ઉકાળેલા) અને હૃદયને ઈષ્ટ દૂધને, ઇન્દ્રિયો પિત્તથી વ્યાકુળ હોવાથી વિપરીત બુદ્ધિવાળો કોઈ (પુરુષ) જેમ કડવું માને (મધુર હોવા છતાં, તેમ સજ્જનો (ગણધર વગેરે) દ્વારા કૃપાથી કહેવાયેલા પરિણામે સુંદર, યોગ્ય અને સત્યનાં અનાદર કરનારા, રાગ-દેપથી સ્વચ્છંદાચારી જાતિ,
For Private And Personal Use Only