SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવિનીતનું પતન ૧૩૫ વિવેવન : સર્વશની વાણી! અદ્દભુત રસાયણ! કેવાં શ્રેષ્ઠ દ્રવ્યોનું સંયોજન છે આ રસાયણમાં! અવિનીતોના ભાગ્યમાં આ અદ્દભુત રસાયણ હોતું નથી. એશ-આરામી અને આળસુઓની નજરે પણ આ રસાયણ ચઢતું નથી. વૈભવ-વિલાસમાં આળોટનારા આ રસાયણના અસ્તિત્વને પણ જાણતા નથી. કદાચ આવા મનુષ્યોને આ રસાયણ મળી પણ જાય, તો એનો ઉપયોગ કરતા નથી, અવગણના કરે છે. તે જ વાણી સત્ય અને ઉપાદેય બને કે જેમાં સ્વાભાવિક શ્રેષ્ઠ હેતુઓ હોય. જેમાં ઉત્તમ દૃષ્ટાન્તો હોય, જેમાં તત્ત્વોને પરસ્પર વિરોધ આવતો ન હોય. સર્વજ્ઞની વાણી સિવાય આવી વાણી બીજા કોની હોઈ શકે? આવી વાણી જેની હોય, તેને સર્વજ્ઞ કહેવાય. સર્વજ્ઞવાણીમાં હતુઓની શ્રેષ્ઠતાને સમજીએ. ૧. “જે સાચો હેતુ હોય તે પોતાના સાધ્યની સાથે જ રહે!' 'આધ્યાવિનામનો તવ સાધ્ય વિના હેતુઓ બીજે ક્યાંય ન રહે. સર્વજ્ઞ પરમાત્માઓએ પદાર્થમાત્રના અસ્તિત્વને સિદ્ધ કરનારા હેતુઓ બતાવ્યા : ઉત્પત્તિ, સ્થિતિ અને લય. _ 'यदस्ति तदुत्पद्यतेऽवतिष्ठते विनश्यति च વસ્તુના.. પદાર્થના અસ્તિત્વને સિદ્ધ કરનારા સ્વાભાવિક હેતુઓ બતાવી દિધા! દરેક પદાર્થમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય હોય જ. દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે, સ્થિર રહે છે અને નાશ પામે છે! દાર્શનિક ભાષામાં આ કહી શકાય : सन्ति जीवादयः पदार्थाः उत्पत्तिमत्वाद् विनाशमत्त्वात् स्थितिमत्त्वाच्च । ‘ઉત્પત્તિવાળા, વિનાશવાળા અને સ્થિતિવાળા હોવાથી જીવાદિ પદાર્થો છે.” જીવ, અજીવ વગેરે પદાર્થોના અસ્તિત્વને ઉત્પત્તિ, સ્થિતિ અને લયના હેતુઓથી. સિદ્ધ કર્યું. સાધ્ય છે જીવ-જીવાદિ પદાર્થો. હેતુઓ છે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. આ હેતુ તમામ સાધ્યમાં વ્યાપ્ત છે! સાધ્યાભાવમાં આ હેતુઓ હોતા નથી અને સાધ્યમાં ક્યાંય પણ એનો અભાવ હોતો નથી! ૨. આ હેતુને સિદ્ધ કરનાર એક દુષ્ટાન્ન જુઓ. આપણા હાથની એક આંગળી તમે સીધી રાખો. આંગળી મૂર્તિ છે, રૂપી છે. એ આંગળી હવે તમે વાળો, વાંકી કરો. આંગળીમાં શું થયું? તેના જુપણાનો નાશ થયો, વક્રપણાના જન્મ થયો અને મૂર્તિપણે તે કાયમ રહી! આંગળીમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું તમે દર્શન કર્યું! આંગળીનું અસ્તિત્વ આ રીતે સિદ્ધ થયું. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy