________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવિનીતનું પતન ઘણો ત્યાગ કર્યો એટલે જાણે પૂર્ણતા મળી ગઈ! જાણે સર્વજ્ઞ-વીતરાગ થઈ ગયા! આવા મૂઢ જીવોનું પતન કેવું થાય છે અને વિનાશ કેવા થાય છે, તેનું વર્ણન ગ્રન્થકાર હવે કરે છે :
અવિનીતનું પતન केचित्सातदिरसातिगौरवात् सांप्रतेक्षिण: पुरुषाः।
मोहात्समुद्रवायसवदामिषपरा विनश्यन्ति ।।७६।। યર્થ : શાતા, ઋદ્ધિ અને રસમાં અતિ આદરના કારણે વર્તમાનકાળને જ જોનારા કેટલાક પુરુષો પિરમાર્થને નહીં જાણનારા અજ્ઞાનથી અિથવા મોહનીય કર્મના ઉદયથી સમુદ્રના કાગડાની જેમ માં લાલુપી, વિનાશ પામે છે. વિવેચન : એશ-આરામ!
વિભવ-સંપત્તિ!
અને ખાન-પાન! જીવનનાં આ જ દૃષ્ટિબિંદુઓ! આ જ લક્ષ્ય અને આ જ ધ્યેય! માત્ર વર્તમાનકાળનો જ વિચાર! શરીરની સુખાકારિતાનાં વિચાર, વૈભવ અને સંપત્તિનો વિચાર, રસનેન્દ્રિયના પ્રિય રસોનો જ વિચારઆ જ વિચારો અને આ જ આચારો. ભવિષ્યકાળનો કોઈ વિચાર નહીં. મૃત્યુ પછીનાં જીવનનો વિચાર નહીં.
વિચાર આવે પણ ક્યાંથી? જ્યાં પ્રગાઢ અજ્ઞાનનો અંધકાર છવાઈ ગયા હોય, તીવ્ર રાગ-દ્વેષનાં આકાશઊંચાં મજાં ઊછળતાં હોય, ત્યાં પરલોકનો વિચાર આવે ક્યાંથી? રાગ-દ્વેષ અને મોહના પ્રબળ પ્રભાવ નીચે માત્ર વર્તમાનકાળનો જ વિચાર જીવ કરી શકે છે. વર્તમાનકાળના વિચારોમાં આ ત્રણ પ્રકારના વિચારોની પણ મુખ્યતા હોય છે:
૧. શરીરને સુગંધી જળથી નવરાવવું, સુગંધી પદાર્થોથી સુવાસિત બનાવવું, મનગમતાં વસ્ત્રોથી શરીરને સજાવવું, પ્રિય અલંકારોથી શણગારવું, શરીરને કષ્ટ થાય એવું કંઈ પણ ન કરવું. વધુમાં વધુ આરામ કરવો. પાંચ ઇન્દ્રિયોના પ્રિય વિષયોનો ઉપભોગ કરી શરીરને સુખ આપવું. શરીરની બધી જ સુખસગવડતાઓ પૂરી કરવી... આ જ વૃત્તિ અને આ જ પ્રવૃત્તિમાં એ રાચતાં રહે! ૨. દુનિયાની દૃષ્ટિમાં ઉચ્ચ દેખાવા વૈભવોનું પ્રદર્શન કરતો રહે, “હું
For Private And Personal Use Only