________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વકલ્યાણનું ભાજન : વિનય
૧૨૯ शमयति तापं गमयति पापम्, रमयति मानसहंसम् ।
हरति विमोहं दूरारोहम्, तप इति विगताशंसम् ।। તપશ્ચર્યાથી કર્મોની નિર્જરા થાય છે, એટલે શું થાય છે? એનું રમણીય ચિત્ર ઉપાધ્યાયજીએ ઉપસાવ્યું છે. વિષયતૃષ્ણા અને કષાયોના આકરા તાપ શમી જાય છે, જીવન નિષ્પાપ બનતું જાય છે. મનોહંસ આત્મભાવમાં રમણતા કરે છે, અને મિથ્યા વ્યામોહ દૂર થઈ જાય છે.
ભલે આકાશમાં ઘનઘોર વાદળ આવ્યાં હોય અને જોરશોરથી ગર્જતાં હોય, પરંતુ જ્યાં પ્રચંડ વાયુના સૂસવાટ શરૂ થાય છે, ઘનઘોર વાદળો વેરવિખેર થઈ જાય છે તેમ અનંત અનંત કર્મો ભલેને આત્મા ઉપર છવાઈ ગયાં હોય, જ્યાં તમે ઘોર, વીર અને ઉગ્ર તપશ્ચર્યા આદરી, કે કર્મોનાં વાદળાં વિખરાયાં સમજો! બસ, આનું જ નામ નિર્જરા. તપના બાર પ્રકાર છે એટલે નિર્જરાના પણ બાર પ્રકાર કહેવામાં આવ્યા છે. બાર પ્રકારના તપને “ટીમ-પાવરથી કામે લગાડી દો. કર્મોને આત્મભૂમિમાંથી ઉખાડીને ફેંકી દેશે. બાહ્ય-અત્યંતર તપોમાંથી જે વખતે જેટલા તમોને મેદાનમાં ઉતારવાં જરૂરી હોય, ઉતારતા રહે. તમારી પાસે વેધક દૃષ્ટિ જોઈએ, કયા તપને ક્યારે અને ક્યાં સુધી આચરવું. લક્ષ્મ જોઈએ કર્મોનાં મૂળિયાં ઉખેડી નાંખવાનું.
સંવરથી નવાં કમનો આત્મપ્રવેશ બંધ કર્યો અને નિર્જરા' થી પ્રવેશી ગયેલાં કમને સાફ કરી નાંખ્યાં એટલે મન-વચન-કાયાની ક્રિયાઓ બંધ! જ્યાં સુધી આત્મા સાથે કમનો સંયોગ હોય છે ત્યાં સુધી મન-વચન-કાયાની ક્રિયાઓ હોય છે. કમ નાશ પામે એટલે ક્રિયાઓ વિરામ પામે, આત્મા મન-વચનકાયાની ક્રિયાઓથી મુક્ત બને. આત્મા પૂર્ણ સ્વાધીન બને. અલબત્ત, ક્રિયાનિવૃત્તિથી જે “યોગનિરોધ' થાય છે; તેની પણ એક પ્રક્રિયા હોય છે. થોડા સમયની તે પ્રક્રિયા સહજભાવ થાય છે અને આત્મા “અયોગી' બની જાય છે,
મનના વિચારો નહીં, વચનપ્રયોગ નહીં, કાયાની પ્રવૃત્તિ નહીં-આત્માને હવે આ ઉપકરણોની જરૂર જ નહીં, મન, વચન અને કાયાના કોઈ જાતના સહયોગ વિનાનું આત્માનું સ્વતંત્ર જીવન, છે. આત્માની અનંત શક્તિઓ પ્રગટ થઈ ગયા પછી એ શક્તિઓ એ ગુણો અને એ પર્યાયોનું જ સ્વાધીન જીવન! એવું જીવન મળ્યા પછી ક્યારેય અનંત કાળે પણ મન-વચન-કાયાનું જીવન જીવવાનું નહીં. સમગ્ર ભવપરંપરાનો અંત આવી જાય છે અને નિર્વાણ' ૧૩. જુઆ પરિશિષ્ટ
For Private And Personal Use Only