________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુષ્પતિકાર્ય ઉપકારીઓ
૧૨૩ બધા જ ગુરુનો ઉપદેશ નથી પામી શકતા. જે ઉપદેશ પામે છે તે બધા જ ગુરુકૃપા નથી પામી શકતા. તે ધન્ય છે કે તને ગુરુકૃપા પ્રાપ્ત થઈ છે. એ સિવાય ગુ તને કડવાં વેણ ક્યારેય ન કહે,
આત્માનું અહિત કરનારી મન-વચન-કાયાની પ્રવૃત્તિઓને ગુરુ વિના કોણ સમજાવે? કોણ અટકાવે? સંસારના સ્નેહી-સ્વજનો અને મિત્રોને તમારા આત્માના હિત-અહિત સાથે કોઈ સંબંધ નથી. તેઓને તો પોતાના ઇહલૌકિક ભૌતિક હિત-અહિત સાથે જ સંબંધ હોય છે. પારલૌકિક આત્મહિતનો વિચાર તો માત્ર નિઃસ્વાર્થ કરણાવંત ગુરુજનો જ કરતા હોય છે.
દુપ્રતિકાર્ય ઉપકારીઓ दुष्प्रतिकारौ मातापितरौ स्वामी गुरूश्च लोकेऽस्मिन् ।
तत्र गुरूरिहामुत्र च सुदुष्करतरप्रतीकारः ।।७१।। અર્થ : આ લોકમાં, માતા, પિતા, સ્વામી (રાજા વગેરે) અને ગુરુ ઋતિકાર્ય છે, તેમાં ગુરુ આલોકમાં અને પરલોકમાં ખુબ જ દુર્લભ પ્રતિકાર્ય છે.
વિવેચન : ઉપકારીના ઉપકાર માન્યા વિના ધર્મક્ષેત્રમાં જીવનો પ્રવેશ જ થઈ શકતો નથી. પરસ્પર જીવના ઉપકાર વિના જીવનની કલ્પના થઈ શકે નાડી, કુતજ્ઞ હૃદય એમ વિચારે છે : “મારા ઉપર ફોના કોના ઉપકારો છે? હું એ ઉપકારનો બદલો ક્યારે અને કેવી રીતે વાળી શકીશ?' પોતાના ઉપકારીઓ પ્રત્યે એના હૃદયમાં સ્નેહની સરવાણી ફૂટેલી હોય, આદરભાવનાં અમૃત છલકતાં હોય.
જીવનના પ્રારંભથી જ ઉપકાર શરૂ થાય છે. જીવનનો પ્રારંભ થાય છે માતાના ઉદરમાં. માતાને ખ્યાલ આવે છે કે “મારા પેટે કોઈ જીવ આવ્યો છે. એ આર્યમાતાનું હૃદય પ્રમાર્ટ થઈ જાય છે. એ નવા આવેલા જીવને કોઈ દુઃખ ન પડે એ રીતે એ પોતાનો જીવનવ્યવહાર બનાવે છે. નવ-નવ મહિના સુધી ઉદરમાં આવેલા જનમજનમના યાત્રિકનાં જતન કરે છે. જ્યારે એ સંસારનો પ્રવાસી ઉદરમાંથી બહાર આવે છે, માતા પોતાનાં તમામ કાર્યો છોડી એ પ્રવાસીને પુત્ર રૂપે કે “પુત્રી' રૂપે જુએ છે... અને અપાર નેહથી નવરાવતી રહે છે. પોતાનાં વાત્સલ્યનાં દૂધ પાય છે. એના મેલા શરીરને ધૂએ છે, એને ખવડાવે છે, એને વસ્ત્ર પહેરાવે છે. પોતાની છાતીએ વળગાડી એને
For Private And Personal Use Only