________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮.
પ્રશમરતિ ક્ષણિક નથી હોતું, સ્થાયી હોય છે. વિનયમૂલક ગુણો ભૌતિક અને આધ્યાત્મિક સંપત્તિના શિખરે મનુષ્યને આરૂઢ કરે છે,
સંસારક્ષેત્રે પણ વિનયની અને નમ્રતાની આવશ્યકતા બુદ્ધિમાન પુરુષો સમજે છે, તો આધ્યાત્મિક ક્ષેત્રમાં તો એ ગુણની અનિવાર્યતા સ્વીકાર્યા વિના ચાલી શકે એમ જ નથી. સદ્ગર પાસેથી સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કરવા અને ગુરુચરણે સમ્યફચારિત્રની આરાધના કરવા તમારા હૃદયમાં વિનયધર્મ હોવો અનિવાર્ય છે. માત્ર બાહ્ય ઔપચારિક વિનય નહીં, આંતરિક બહુમાનરૂપ વિનય હોવો જરૂરી છે. એ વિનયથી તમે સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્રના શ્રેષ્ઠ આરાધક બનશો.
ગુરુ-આરાધના કરો गुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि ।
तस्माद् गुर्वाराधनपरेण हितकांक्षिणा भाव्यम् ।।६९ ।। અર્થ : સર્વે શાસ્ત્રપ્રવૃત્તિઓ ગુરુને આધીન હોય છે, માટે હિતકામીએ ગુરુની આરાધનામાં ઉપયુક્ત રહેવું જોઈએ.
વિવેવન : જ્ઞાનમાર્ગમાં ગુરુનું અદ્વિતીય સ્થાન છે. જ્ઞાનમાર્ગની સર્વ પ્રવૃત્તિઓમાં ગુરુનું માર્ગદર્શન જરૂરી હોય છે. સૂત્રપાઠના ઉચ્ચારણમાં અને સુત્રાર્થના અવધારણમાં, શંકાઓના સમાધાનમાં અને તાત્પર્યાર્થના પર્યાલોચનમાં ગુરુ જ પ્રામાણિક હોય છે. કોણે કયું શાસ્ત્ર ભણવું, કોણે ભણાવવું, ક્યારે ભણવું, ક્યારે ભણાવવું... આ બધી જ પ્રવૃત્તિમાં ગુરઃ નિર્ણાયક હોય છે.
તમારે શાસ્ત્રજ્ઞાન મેળવવું છે? “શાસ્ત્રજ્ઞાન વિના આત્મકલ્યાણની મંગલ આરાધના શક્ય નથી.” આ વાત તમને જચી ગઈ છે? “આ માનવજીવનમાં મારે આત્મકલ્યાણ સાધી જ લેવું છે.” આવો તમારો દૃઢ નિરધાર છે? તો તમારે એવા ગુરુદેવ શોધવા જોઈએ કે જેઓ તમને શાસ્ત્રજ્ઞાન આપે, શાસ્ત્રોમાં કહેલો મોક્ષમાર્ગ બતાવે, પરંતુ ગુરુ પાસેથી “મને શાસ્ત્રો ભણાવો.” એમ કહેવા માત્રથી શાસ્ત્રજ્ઞાન મળતું નથી. તમારે તમારી યોગ્યતા, પાત્રતા સિદ્ધ કરવી પડશે. ગુરુની દૃષ્ટિમાં તમારે વિનીત' બનવું પડશે. ગુરુની દૃષ્ટિમાં તમારે “શાન્ત-પ્રશાન્ત-ઉપશાન્ત' બનવું પડશે. તમે વિનીત અને પ્રશાન્ત બન્યા, એટલે ગુરુની દૃષ્ટિમાં તમે શાસ્ત્રજ્ઞાન મેળવવા સુયોગ્ય બન્યા, પાત્ર બન્યા.
વિનયગા જ્યારે આત્મામાં પ્રગટશે ત્યારે તમે સ્વયં ગુરુની ચરણસેવામાં પ્રવૃત્ત થશો. ગુરુદેવના પુણ્યદેહન કેમ શાંતિ રહે, સુખાકારિતા રહે, એ રીતે
For Private And Personal Use Only