________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકની ૧૩ વિશેષતાઓ
૧૦પ
________ ૧૦૫
X ૩ યોગ મિન, વચન, કાયા|| ઉ000
X ૩ કરણ કિરવું, કરાવવું, અનુમોદવું ૧૮૦૦) શીલાંગ.
દસ પ્રકારના સાધુધર્મનું પાલન, ચાર સંજ્ઞાઓથી વિરક્તિ, પાંચ ઇન્દ્રિયોનો નિરોધ, દસ કાયની રક્ષા, ત્રણ યોગથી અને ત્રણ કરણથી કરવાની શીલાંગની પાલનાનું એક રૂપ જોઈએ.
“ક્ષમાગુણમાં વર્તતો હું આહાર સંજ્ઞાથી વિરામ પામીને, શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ કરીને, પૃથ્વીકાયનો આરંભ મનથી નથી કરતો.”
આ પ્રમાણે અઢાર હજાર રૂપ બને. શુભ અધ્યવસાયોમાં વર્તતા ભાવ શ્રમણો આ શીલાંગોના પાલનમાં તત્પર હોય. શ્રમણોની પ્રતિજ્ઞા હોય છે શીલાંગોના પાલનની. અપ્રમત્ત જીવન જીવનારા એ વીર અને ધીર મહાત્માઓ અઢાર હજાર અથોના રથમાં આરૂઢ થઈને મુક્તિમાર્ગે આગળ વધતા રહે છે. એ મુસાફરીમાં તેઓ અપૂર્વ આનંદ અનુભવતા હોય છે. નિરંતર તેમનો ઉલ્લાસ વૃદ્ધિ પામતો હોય છે...
આ શીલાંગોનું પાલન સર્વતોમુખી આરાધના તરફ સાધકનું ધ્યાન દોરે છે. ક્ષમા વગેરે યતિધર્મનું પાલન કરનાર સંજ્ઞાઓને છૂટો દોર આપે તો ન ચાલે! સંજ્ઞાઓને કાબુમાં રાખે, પરંતુ ઇન્દ્રિયોનો નિગ્રહ ન કરે તો ન ચાલે! ઇન્દ્રિયોનો પણ નિગ્રહ કરે, છતાં જે પૃથ્વીકાયાદિ જીવોની રક્ષા ન કરે તો સાધના અપૂર્ણ રહે. માટે પૃથ્વીકાયાદિ જીવોની રક્ષા કરવી અનિવાર્ય છે. આ બધું માત્ર મનથી કરે કે વચનથી કર અથવા કાયાથી કરે તો ન ચાલે. મન, વચન અને કાયા ત્રણેયથી કરવાનું! કરણ, કરાવણ અને અનુમોદન-ત્રણેય કરણથી યથાયોગ્ય કરે. કોઈ એક-બે અંગોની આરાધના કરીને “હું મોક્ષમાર્ગની આરાધના કરી રહ્યો છું. અવા મિથ્યા આત્મસંતોષ માનનારાઓએ આ અઢાર હજાર શીલાંગોનું ગંભીર ચિંતન કરવું આવશ્યક છે. ૮. મનના અપૂર્વ પરિણામ પ્રાપ્ત કરનાર :
અપૂર્વ પરિણામ અપૂર્વ વિચારો પૂર્વે ક્યારેય ચંચળ ચિત્ત ન કર્યા હોય તેવા શુભ અને શુદ્ધ વિચારો! અઢાર હજાર શીલાંગના રથમાં આરૂઢ થનારા
For Private And Personal Use Only