________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦.
પ્રશમરતિ મહામુનિને આવા ઉત્તમ વિચારો જ આવે. જન્મજન્માંતરમાં ક્યારેય ન અનુભવ્યા હોય તેવા વિચારો પ્રગટે એ મહાત્માના અંતઃકરણમાં.
પરમ વિશુદ્ધ વિચારધારા બાહ્ય જગતના પદાર્થોના આધારે નથી પ્રગટતી, તે પ્રગટે છે પોતાના જ આત્મામાંથી. આહારાદિ સંજ્ઞાઓથી અને ક્રોધાદિ. કપાયોથી મુક્ત થયેલા મનમાં કેવા કેવા દિવ્ય વિચારો પ્રગટે છે, તેની કલ્પના સંજ્ઞાઓમાં ગળાબૂડ ડૂબેલાઓને અને કપાયોમાં ભડકે બળી રહેલાઓને ન જ આવી શકે. ક્ષમા, મૃદુતા વગેરે ઉત્તમ ગુણોની રમણતામાંથી પ્રગટતો આનંદ તો એ જ અનુભવીઓ જાણે! તે બુદ્ધિથી સમજાય નહીં. આનંદ સમજવાનું તત્ત્વ નથી, અનુભવવાનું તત્ત્વ છે.
૯. શુભ ભાવનાઓના અધ્યવસાયવાળા : 'પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓ અને અનિત્ય-અશરણ આદિ ૧૨ ભાવનાઓ જ સાધક આત્માના અધ્યવસાય બની ગયા હોય! ગમે તે સમયે ગમે તે એક ભાવના એમના ચિત્તમાં ચાલુ જ હોય. ૨૫ અને ૧૨ ભાવનાઓથી બહારના વિચારો ન પ્રવેશે એમના ચિત્તમાં. મહાવ્રતોને ધારણ કરનાર મહામુનિ એ મહાવ્રતોનું તો જ સુંદર પાલન કરી શકે જો એ મહાવ્રતોની ભાવનામાં ભાવતો રહે. સંસાર પ્રત્યે એનું હૃદય તો જ અનાસક્ત બન્યું રહે, જે એ અનિત્યાદિ ભાવનાઓથી પોતાના વિચારોને ભાવિત કરતો રહે. સંસારનો ત્યાગ કરી દેવો સહેલો છે, એ ત્યાગને ટકાવવો સરળ નથી. જો સાધક અનિત્યાદિ ભાવનાઓથી પોતાના વિચારો પ્રભાવિત કરતો ન રહે તો જેનો એણે ત્યાગ કર્યો છે, એ સંસારનાં આકર્ષણ એના ચિત્તમાં જાગ્યા વિના ન રહે. મહાવ્રતોનું જીવન એને અકળાવનારું લાગે. મહાવ્રતો અને અમારાં બંધન લાગે. એક બાજુ સંસારનાં આકર્ષણ જાગ્યાં હોય અને બીજી બાજુ મહાવ્રતોનું જીવન અકળાવનારું લાગે, એટલે જીવનું અધ:પતન થઈ જાય. લીધેલાં મહાવ્રતોનો ભંગ કરી એ સંસારમાર્ગે ચાલ્યો જવાનો.
અનંત અનંત દોષોનો ઉચ્છેદ કરવા કટિબદ્ધ બનેલા, દર્શન-ચારિત્ર-તપસ્વાધ્યાય અને ધ્યાનનો ધરખમ પુરુષાર્થ કરનારો, હિંસાદિ પાપોથી વિરક્ત થયેલો, શુદ્ધ ભિક્ષાચરીથી સંયમયાત્રા કરનારો, જિનવચન ઉપર અખંડ શ્રદ્ધાને સ્થાપિત કરનારો, ચૌદ રાજલોકના સ્વરૂપને સમજનારી, અઢાર હજાર શીલાંગના રથમાં આરૂઢ થનાર અને નિત્ય શુદ્ધ અધ્યવસાયોથી પવિત્ર મનવાળો મહાત્મા,
૧૨. જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only