________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪,
પ્રશમરતિ તરફ દૃષ્ટિ ખૂલશે, ત્યાં પહોંચેલા અને કાયમ માટે વસી ગયેલા અનન્ત અનન્ત પૂર્ણ આત્માઓ તરફ અનુરાગ જન્મશે. એમની દિવ્ય આત્મજ્યોતિમાં જ્યોતિ સ્વરૂપ બની વિલીન થઈ જવાની તમન્ના પ્રગટશે. અનન્ત જન્મોમાં અનન્ત વાર ભોગવી લીધેલાં સુખોને પુનઃ પુનઃ ભોગવવાની ભાવનાઓ મરણતોલ થઈ જશે. - અનિત્ય, અશરણ આદિ બાર ભાવનાઓમાં લોકસ્વરૂપ” પણ એક ભાવના છે. આ બાર ભાવનાઓને, પ્રતિદિન મોક્ષમાર્ગનો સાધક આત્મા ભાવતો રહે. આ કર્તવ્ય બતાવાયેલું છે મુનિઓ માટે, આ લોકસ્વરૂપનું ચિંતન કરવાથી મુનિની દૃષ્ટિ ખૂબ વિશાળ બને છે, ચૌદ રાજલોકવ્યાપી બને છે. તેથી મહાત્માઓને આ સંસારમાં કોઈ કુતૂહલ નથી થતું. કોઈ આકર્ષણ નથી જાગતું. અનન્ત જન્મોમાં જે જોયેલું છે, જાણેલું છે, ભોગવેલું છે, એનાં આકર્ષણ શાનાં? એનાં કુતુહલ શાના? વિરક્ત અને અનાસક્ત બનેલો યોગી ચૌદ રાજલોકના ચિંતનમાંથી આત્મચિંતનમાં ઊતરી આવે છે... અને પોતાનામાં જ એ ચૌદ રાજલોકનાં દર્શન કરે છે!
૭. અઢાર હજાર શીલાંગના ધારક અને એનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરનાર :
શીલાંગ એટલે ચારિત્રના અંશ, “શીલ' એટલે ચારિત્ર અને “અંગ” એટલે અંશ. ચારિત્રધર્મના અઢાર હજાર અંશ છે. આ અંશો ચારિત્રધર્મના કારણ પણ બની શકે. જે મહાત્મા વિશુદ્ધ અધ્યવસાયોમાં વર્તતા હોય છે, જેઓ ભાવ-શ્રમણ હોય છે, તેઓ આ અઢાર હજાર અશ્વોના ભવ્ય રથમાં આરૂઢ થયેલા હોય છે!
અઢાર હજાર શીલાંગ આ પ્રમાણે હોય છે : ૧૦ યતિધર્મ ક્ષમા, મૃદુતા, સરળતા, મુક્તિ, તપ, સંયમ, સત્ય,
શૌચ, આર્ફિચન્ય, બ્રહ્મચર્ય. * ૪ સંજ્ઞા આહાર, ભય, મંથન, પરિગ્રહી ૪૦ * પ ઇન્દ્રિય સ્પિર્શ, રસ, ઘાણ, ચક્ષુ, શ્રોત]. ૨૦૦ * ૧૦ કાય પૃથ્વીકાય, અપ, તે., વા, વ, દ્વિન્દ્રિય, ત્રિ., ચ,
પંચે, અજીવ, (વસ્ત્ર, પાત્ર, પુસ્તકાદિ)|
For Private And Personal Use Only