________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકની ૧૩ વિશેષતાઓ
૧૦૩ જીવાસ્તિકાય-આ પંચાસ્તિકાયની માન્યતા ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સિદ્ધાંતની સમજણ સાથે હોવી જોઈએ, આ સમજણ “જિનવચન' પરની શ્રદ્ધાને પુષ્ટ કરે છે. હૃદય પોકારી ઊઠે : 'તમેવ ર દવંનિસ્તૃવંદ નિહિં પર્વયે “તે જ સાચું અને નિઃશંક છે, જે જિનેશ્વરોએ કહ્યું છે!'
જિનોત તત્ત્વવ્યવસ્થા અને પદાર્થવિજ્ઞાનના જ્ઞાન વિના જિનવચન પર તાત્વિક શ્રદ્ધા પ્રગટે જ નહીં, જે મહાત્માઓમાં આવી તાવિક શ્રદ્ધા પ્રગટે છે. તેઓ આત્મનિષ્ઠ બનતા હોય છે અને આત્મવિકાસની યોજનાઓ ઘડતા હોય છે. ૬. લોકના પરમાર્થને જાણનાર :
લોક એટલે જનસમૂહ નહીં, પરંતુ જીવ અને અજીવનું આધારભૂત ક્ષેત્ર. 'લોક' શબ્દનો પ્રયોગ ક્ષેત્રના અર્થમાં થયેલાં છે. આ લોકની ઊંચાઈ છે ચાંદ રાજ. “રાજ' એ એક પ્રમાણનું મોટું ગણિત છે. “ચૌદ રાજલોક શબ્દ જૈન પરિભાષાનો શબ્દ છે.
આ ચૌદ રાજલોકમાં સ્વર્ગ, નરક આવેલાં છે, અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્રો આવેલા છે. માનવો, પક્ષીઓ અને કીટાણુઓનો સમાવેશ આ ચાંદ રાજલોકમાં થયેલો છે. ચૌદ રાજલોકની બહાર જીવસૃષ્ટિ જ નથી. ત્યાં છે માત્ર અવકાશ! અનન્ત અવકાશ! ચંદ રાજલોકમાં એવી કોઈ સૂક્ષ્મ જગા પણ નથી કે જ્યાં આપણા જીવે જન્મ-મરણ ન કર્યો હોય! દેવ, માનવ, તિર્યંચ અને નારક..... ચારેય ગતિમાં જન્મ લીધા છે અને મૃત્યુ પામ્યા છીએ. આધિવ્યાધિ અને ઉપાધિથી ભરેલી આ ચૌદ રાજલોકની સૃષ્ટિમાં ક્યાંય શાશ્વતું સુખ નથી, અનન્ત શાન્તિ નથી કે અવિનાશી સ્થિતિ નથી. જન્મ, જીવન અને મૃત્યુનું અનાદિકાલીન ચક્ર ધુમ્યા જ કરે છે.
મનુષ્યાકૃતિવાળા આ ચૌદ રાજલોકના મુખ્ય ત્રણ વિભાગો છે : ૧. ઊદ્ગલોક ૨. મધ્યલોક, અને ૩, અધોલોક, ઊદ્ગલોકમાં જ્યોતિષચક્રના દેવો, વૈમાનિક દેવો, રૈવયક દેવો અને અનુત્તરના દેવોનો સમાવેશ થાય છે. મધ્યલોકમાં મનુષ્યો અને તિર્યંચા રહેલા છે. અધોલોકમાં સાત નારકીઓ આવેલી છે. આપણો આત્મા અનાદિકાળથી આ સમગ્ર લોકમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અનન્ત અનન્ત આત્માઓ પરિભ્રમણ કરી રહ્યા છે.
આ રીતે ચૌદ રાજલોકનું ચિંતન પારમાર્થિક દૃષ્ટિએ કરવું જોઈએ. પારમાર્થિક દૃષ્ટિએ ચિંતન કરવાથી પરિભ્રમણની નિરર્થકતા સમજાશે અને એ પરિભ્રમણને રોકવાનો શુભ મનોરથ પ્રગટશે. ચાંદ રાજલોકની ટોચે રહેલી સિદ્ધશિલા
For Private And Personal Use Only