________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમતિ એ જ રાગ અને પ! મિથ્યાત્વ અને અવિરતિ! મન-વચન-કાયાના યોગ અને પ્રમાદ! શા માટે જીવાત્મા આ બધી ભૂલો કરે છે? એનું મૂળભૂત એક કારણ છે અજ્ઞાન. જીવાત્માઓને આ જ્ઞાન જ નથી કે આ રાગ-દ્વપ વગેરે કરવાથી આત્મા સાથે કમ બંધાય છે. અને એ કમોંના ઉદયથી સંસારની ચાર ગતિમાં વિવિધ દુ:ખો ભોગવવા પડે છે. ઘોર અજ્ઞાનતા છવાયેલી છે. જો આ અજ્ઞાનતાનું વાદળ ચીરાય અને જ્ઞાનની આછી-પાતળી તેજ ખાઓ બહાર નીકળે.. તો એ રાગ-દ્વેષ...મિથ્યાત્વ વગરની ભયંકરતા સમજાય; અને તો જ એ દોષોને નિર્મળ કરવાનો વિચાર આવે. પુરુષાર્થ થાય. અના ચિત્તમાં જિજ્ઞાસા પ્રગટે કે “આ રાગ-દ્વેષ આદિ દોષોને કેવી રીતે દૂર કરાય? એ દોષોમાંથી પેદા થતાં સંસાર-પરિભ્રમણને કેવી રીતે ખાળી શકાય? આવો, એ જિજ્ઞાસાને ગ્રંથકાર સ્વયં સંતાપે છે; એમની વાતને સ્થિર ચિત્તે સાંભળો.
દોષકાળનો વિચ્છેદ एतद्दोपमहासञ्चयजालं शक्यमप्रमत्तेन । प्रशमस्थितेन घनमप्युद्वेष्टयितुं निरवशेषम् ।।५८ ।। અર્થ : આ દાંપાના (રાગ-દંપાદિના અને તેમાંથી ઉત્પન્ન થયેલા કમાંના) મોટા સમૂહરૂપ ન પણ જાળનો આમૂલ વિચ્છેદ કરવાનું પ્રમાદરહિત અને પ્રશમમાં રહેલા (આત્મા) માટે શક્ય છે.
વિવેવન : ગહન જાળમાં ફસાયેલો હંસલો! મજબૂત લોખંડી પિંજરામાં પુરાયેલો કેસરી સિંહ! જ્યાં સુધી એ હંસલાને કે સિંહનું જ્ઞાન નથી થતું કે હું નિબંધન છું.. અનન્ત નીલાકાશમાં ઊડવા સમર્થ છું... એ જ મારું જીવન છે... એમાં જ સાચો આનંદ છે. હું જંગલનો રાજા છું. જંગલો, પહાડો અને ગુફાઓમાં મારું સ્થાન છે. મારો આનંદ, મારી મસ્તી... બધું ત્યાં છે, અહીં આ પિંજરામાં નહીં. આ જાળમાં નહીં.' ત્યાં સુધી જ એને એ જાળમાં ગમે છે, એ પિંજરામાં ફાવે છે.
આપણે એક ભયંકર જાળમાં છીએ-એ જાણો છો? આપણે એટલે હું અને તમે જ નહીં, આપણે એટલે સંસારના અનંત અનંત જીવો! હા, જાળ વિનાનું મુક્ત જીવન ન હોય તો જાળ,જાળ જ ન કહેવાત! મુક્ત જીવન છે, મુક્ત જીવન જીવનારા પણ અનન્ત અનન્ત જીવો છે! તેમણે જાળમાંથી છુટકાર મેળવ્યો, જાળ છેદીને નીકળી ગયા. કોઈ કાળનું, કોઈ ક્ષેત્રનું, કોઈ દ્રવ્યનું કે કોઈ ભાવનું બંધન નહીં એમને! સંપૂર્ણ મુક્ત જીવન. .
For Private And Personal Use Only