________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરત
co
આ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ અને અવિરતિથી કર્મબંધ થાય છે, પરંતુ તેઓ મન, વચન અને કાયાના સહયોગ વિના કંઈ ન કરી શકે! એ સહયોગ પણ કેવો જોઈએ? પ્રમાદી મન-વચન-કાયાનો સહયોગ જોઈએ, તો કર્મબંધ જ થાય,
રાગ-દ્વેષથી કર્મબંધ થાય, પરંતુ તેમાં સહયોગી જોઈએ. પ્રમાદગ્રસ્ત મન, વચન, કાયાના યોગો હોય છે માટે કર્મબંધ થાય છે. એવી જ રીતે નોકપાયો, મિથ્યાત્વ અને અવિરતિથી કર્મબંધ થાય, પરંતુ પ્રમત્ત યોગોના સહયોગથી થાય, સ્વતંત્ર રીતે નહીં.
કેવી સરસ વાત કરે છે ગ્રંથકાર મહાત્મા! રાગ-દ્વેષ વગેરેથી ફર્મબંધ અને કર્મોથી રાગ-દ્રુપના પરિણામ! એનો અર્થ એ થાય કે રાગ-દ્વેપ પોતે જ પોતાને સર્જે છે! મિથ્યાત્વ પોતે જ પોતાને બનાવે છે. અવિરતિમાંથી અવિરતિ પ્રગટે છે!
આ કેવી રીતે બને છે, એના ભેદ પણ ખોલી નાંખ્યા. મનન્વચન અને કાયા પ્રમાદી બને છે ત્યારે! પછી એ પ્રમાદ વિકથાઓનો હોય કે નિદ્રાનાં હોય, મદ્યપાનનો હોય કે વિષયવાસનાનો હોય, રાગ-દ્વેષ વગેરેને આ પ્રમાદી યોગોનો સહયોગ મળે છે, એટલે આત્મા સાથે કર્મો ચોંટે છે, કર્મબંધ થાય છે.
આ રીતે ગ્રન્થકારે કર્મબંધના હેતુને સ્પષ્ટ કર્યા અને ઉપસંહાર કર્યો.
સંસાર-પરંપરાનું મૂળ
कर्ममयः संसारः संसारनिमित्तिकं पुनर्दुःखम् । तस्माद् रागद्वेषादयस्तु भवसन्ततेर्मूलम् । । ५७ ।।
'
અર્થ : કર્મનો વિકાર સંસાર છે. સંસારના કારણે જ દુ:ખ છે, માટે રાગ-દ્વેષ વગેરે જ ભવપરંપરાનું મૂળ છે. (એમ સિદ્ધ થાય છે)
વિવેચન : અસંખ્ય યોજનના વિસ્તારમાં અને ચાર ગતિઓના વિભાગમાં રહેલો આ સંસાર....શું છે? આ નારકીપણું, તિર્યંચપણું, મનુષ્યપણું અને દેવપણું શું છે? શું આ નારકીપણું વગેરે આત્માનું સ્વરૂપ છે? ના, આ સમગ્ર સંસાર કર્મોનો વિકાર છે.
આત્માની વિભાવદા કર્મોને જ આભારી છે ને! કર્મોએ જ આત્માની સ્વભાવદશાને આવૃત્ત કરેલી છે. દેવપણું હો કે મનુષ્યપણું, તિર્યંચપણું હો કે નારકપણું; એ બધી આત્માની અવસ્થાઓ વિભાવા છે, વિકારીદશા છે. આત્મા સાથે સંલગ્ન કર્મોમાંથી ઉદ્દભવેલી વિકારી દશા છે. સમગ્ર સંસાર
For Private And Personal Use Only