________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯
કર્મબંધ કોઈમાં વધારે તો કોઈમાં થોડાં! એ વિભાગીકરણ રાગ-દ્વેષી જીવના વિચારો પર અવલંબતું હોય છે. જેવા જીવના વિચારો! વિચારો કરનારા જીવને આ કર્મબંધની પ્રક્રિયાનું ભાન હોતું નથી. એ પ્રક્રિયા આંખોથી દેખાઈ શકે એવી નથી. એ પ્રક્રિયા જવા માટે તો કેવળજ્ઞાનની આંખો જોઈએ!
પ્રતિક્ષણ...પ્રતિસમય આત્મા સાથે કર્મપુદગલો ચોંટે છે. અનંત અનંત પગલોના ઢગલા આત્મપ્રદેશોમાં ખડકાયે જાય છે... પરંતુ રાગદ્વેષમાં મૂઢ બનેલા જીવાત્માને આ સૂક્ષ્મ પ્રક્રિયાનું જ્ઞાન જ નથી હોતું. એ તો ત્યારે જ માથાં પછાડે છે કે જ્યારે બાંધેલાં કર્મો ઉદયમાં આવીને ઘોર ત્રાસ આપે છે, શારીરિક અને માનસિક ભયંકર વેદનાઓ આપે છે. માટે કમાં બાંધતા સમયે જાગતા રહો.
एवं रागद्वेषो मोहो मिथ्यात्वमविरतिश्चैव ।
एभिः प्रमादयोगानुगैः समादीयते कर्म ।।५६ ।। ૩ : આવા રાગ અને દ્રુપ, મોહનીય, મિથ્યાત્વ અને અવિરતિ, પ્રમાદ સહિત યોગા (મન-વચન-કાયાના) ને અનુસરીને કર્યગ્રહણ કરે છે.
વિવેચન : કર્મબંધની પ્રક્રિયામાં અસાધારણ કારણ રાગ-દ્વેષને બતાવીને હવે બીજાં પણ જે જે કારણો કામ કરે છે, એનો નિર્દેશ કરે છે. અલબત્તબીજાં જે કારણો અહીં બતાવવામાં આવ્યાં છે તે બધાં મોહનીયના જ પ્રકારો છે. પરંતુ અહીં તે તે કારણ પોતાની આગવી રીતે પ્રભાવ બતાવે છે, એ વાત સમજાવવા તે કારણો જુદાં જુદાં બતાવાયાં છે.
(૧) રાગ અને દ્વેષ : આ બેમાં ક્રોધ, માન, માયા અને લોભનો સમાવેશ થઈ જાય છે. આ ચાર કષાયો મોહનીય કર્મના જ ભેદ છે.
(૨) મોહનીય : હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ; આ નવને નોકષાય' કહેવામાં આવે છે. “માહનીય'માં આ નોકપાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(૩) મિથ્યાત્વ : આ પણ “દર્શનમોહનીય' નો જ એક પ્રકાર છે. મિથ્યાત્વમોહનીયના ઉદયમાં જીવ ભારે કર્મો બાંધતો હોય છે.
(૪) અવિરતિ : “અનન્તાનુબંધી” અને “અપ્રત્યાખ્યાની' કષાયોના ઉદય સાથે આ અવિરાતિ સંકળાયેલી છે. પાપોમાં અવિરામ પ્રવૃત્તિ! કોઈ પાપનો ત્યાગ કરવાની ભાવના જ જાગવા ન દે. પાપપ્રવૃત્તિમાં જ જીવને પ્રેર્યા કરે.
For Private And Personal Use Only