________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ અને દ્વેષ
૮૫ પ્રાપ્ત કરવા, પ્રાપ્ત થયેલા પ્રિય વિષયોને ભોગવવા અને એ વિષયો ચાલ્યા ન જાય, તેનું રક્ષણ કરવા દિવસ ને રાત ડૂબેલા રહે છે. એમને આર્તધ્યાનનું જ્ઞાન નથી એ જીવોને મનના પરિણામોની ઓળખાણ જ નથી હોતી. આવા જીવોને કેવી રીતે સમજાવવા કે “મારા ભાઈ, કાંઈ વિષય સારો નથી કે કોઈ વિષય ખરાબ નથી. કોઈ પદાર્થ પ્રિય નથી કે અપ્રિય નથી, ઇષ્ટ નથી કે અનિષ્ટ નથી. આ બધો તો તારા રાગ-દ્વેષનો ખેલ છે. રાગ વસ્તુને પ્રિય લગાડે છે, કેષ એ જ વસ્તુને અપ્રિય લગાડે છે! રાગ-દ્વેષ ફરે છે તેમ વસ્તુ અંગેની કલ્પનાઓ પણ કરે છે.'
આગ્રહો છોડી દો. આ વ્યક્તિ તો સારી જ છે અથવા આ વ્યકિત ખરાબ જ છે... ક્યારેય ન સુધરે.... આ વસ્તુ સામે તો ક્યારેય ન જોઉં, મને જરાય નથી ગમતી.....' આવું વિચારવું મિથ્યા છે, બોલવું ય મિથ્યા છે. આવા આગ્રહ કોઈના ટક્યા છે? જે સીતાજીના વિરહમાં રામચન્દ્રજી જંગલોમાં પાગલ બનીને ભટક્યા હતા, જે સીતાને લંકામાંથી લઈ આવવા રાવણ સાથે ઘોર યુદ્ધ કર્યા હતાં... સીતાજી ઉપર કેવો રાગ હતો? સીતાને તેઓ કેવી રીતે માનતા હતા? “સીતા વિનાની એક ક્ષણ પણ અકારી લાગે...' એ જ સીતાને એ જ રામચન્દ્રજીએ વનવાસમાં મોકલી દીધાં! વષો સુધી રામે સીતા વિના જીવન વિતાવ્યું. સીતાજી એના એ જ હતાં. રામચન્દ્રજીના રાગપે સીતામાં પ્રિય-અપ્રિયની કલ્પનાઓ કરાવી હતી.
સીતાજી પાસે તત્ત્વદૃષ્ટિ હતી. તેઓ સમજતાં હતાં કે “આપણને તે સારા માને, પ્રિય માને, કે જે રાગી હોય! એ જ વ્યક્તિમાં હેપ આવી જાય તો આપણને ખરાબ માને, આપણે એને અપ્રિય લાગીએ! બીજી વ્યક્તિના રાગ દ્વેષ ઉપર આપણો અધિકાર નથી.' માટે સીતાજીને રામચન્દ્રજી પ્રત્યે દ્વેષ ન થયો. વિશ્વમાં ઇષ્ટિ-અનિષ્ટની અને પ્રિય-અપ્રિયની તમામ કલ્પનાઓ જીવાત્માના રાગ અને દ્વૈપમાંથી જન્મે છે. આ વાત મનનપૂર્વક સમજી લેવી જોઈએ. વિષયોમાં સારાપણું કે નરસાપણું પારમાર્થિક દૃષ્ટિએ-નિશ્ચય દૃષ્ટિએ નથી, આ વાત ખૂબ ઊંડાણમાં જઈને સમજી લેવા જેવી છે. તો જ રાગ-દ્વેષના દુગ્ધભાવોથી આપણે બચી શકીશું.
रागद्वेषोपहतस्य केवलं कर्मबन्ध एवास्य । नान्यः स्वल्पोऽपि गुणोऽस्ति या परत्रेह च श्रेयान् ।।५३ ।। અર્થ : રાગ અને દેપથી હણાયેલા મનવાળા) એને માત્ર કર્મબંધ જ થાય છે. આ લોકમાં કે પરલોકમાં બીજો થોડો પણ ગુણ નથી.
For Private And Personal Use Only