________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ અને દ્વેષ શિલ્પસ્થાપત્ય જોવું નથી ગમતું...... મને ગમે છે! એનું એ જ શિલ્પ છે. મને જોવું ગમે છે, તમને જોવું નથી ગમતું.
તમને બધા જ પુષ્પોની સુવાસ ગમે છે? બધાં જ અત્તર કે એસેન્સો ગમે છે? તમને અહીનો' ગમે છે, મને નથી ગમતો. તમને ‘ગુલાબ” નથી ગમતું, મને ગમે છે! વસ્તુ તો એની એ છે-તમને ગમે છે, મને નથી ગમતી. મને ગમે છે, તમને નથી ગમતી.
આવો, આપણે રસોડામાં જઈએ. તમને આ ગુલાબજાંબુ ભાવે છે ને? મને તો એ જોવાંય નથી ગમતાં! તમને આ ભીંડાનું શાક જોઈને ઊલટી થાય છે ને? મારી જીભમાંથી એ જોઈને પાણી છૂટે છે. બને છે આવું- એકને એક વસ્તુ ભાવે, એ વસ્તુ બીજાને ન ભાવે. ચાર માનવીઓને ભાવે, બીજા ચારને ન ભાવે!
આપણે સ્પર્શનેન્દ્રિયના વિષયને પણ જોઈએ. તમને આ ખાદીનું કાપડ પહેરવું? ચામડીને ખરબચડું લાગતું નથી? તમને ફાવે છે ખાદી પહેરવીફાવ છે, મને ખાદી પહેરવી જરાય ફાવતી નથી. ખાદીના કપડાનો સ્પર્શ તમને ગમે છે, મને નથી ગમત. ટેરેલીનના કપડાનો સ્પર્શ મને ગમે છે, તમને નથી ગમતો!
આ ગમવાનું અને ન ગમવાનું શું છે? પ્રિય અને અપ્રિય શું છે? માત્ર પોતાના મનના તરંગો! રાગના તરંગો અને દ્વેષના તરંગો! બધા જીવોનાં મન એક સાથે રાગી નથી હોતાં, એક સાથે હેવી નથી હોતાં. એક વિષય ઉપર બંધા જીવોનાં મન રાગી નથી હોતાં, બધા જીવોનાં મન હેપી નથી હોતાં. ભિન્ન ભિન્ન જીવોના રાગ-દ્વેપ પણ ભિન્ન ભિન્ન હોય છે. એ રાગ-દ્વેષથી પ્રેરાઈને જીવો વિષયોમાં સારા-નરસાનો આરોપ કરે છે.
આ છે વાસ્તવિકતાનું સચોટ દર્શન. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ; પાંચ ઇન્દ્રિયોના આ અસંખ્ય વિષયોમાં સુખદાયકતા કે દુઃખદાયકતા નથી, સારાપણું કે નરસાપણું નથી. જીવનો રાગ એ વિષયને સારો સમજાવે છે, જીવનમાં વૈષ એ વિષયને ખરાબ સમજાવે છે! ગ્રન્થકાર મહાત્મા વિવેકી આત્માઓને અત્તર્મુખ બનાવવા ઇચ્છે છે. પોતાનામાં પડેલા રાગ અને દ્વેષને જોવા માટે ; સમજવા માટે પ્રેરણા આપે છે.
આ જ વાતને વધુ સ્પષ્ટ કરવા તેઓ આગળ વધે છે :
For Private And Personal Use Only