SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ પાંપણે બાંધ્યું પાણિયારું આશ્રમમાં નહીં જવા દે , પરંતુ જો તું કાવેરી જવા સંમત થાય તો તારે કાવેરી એ જ માર્ગે જવાનું છે ને? માર્ગમાં એ આશ્રમ આવશે! તું ત્યાં થોડા દિવસ રોકાઈ પણ શકીશ... તારું મન પણ હળવું બનશે, તને ત્યાં પ્રફુલ્લિતતા પ્રાપ્ત થશે... પછી તું કાવેરી જજે, માતાની આ વાત મને ગમી ગઈ.... ખૂબ ગમી ગઈ... હું આ મહેલ અને નગર છોડીને દૂર દૂર ચાલ્યા જવાનું તો વિચારતો જ હતો... આશ્રમમાં જવાની પણ તીવ્ર ઇચ્છા હતી.... મને માતાની આ વાત ગમી ગઈ.... મુક્તિ મળતી લાગીરુક્મિણીનાં સુખદુઃખનો વિચાર મેં એના પુણ્યપાપની ખીંટીએ વળગાડી દીધો.... આશ્રમ.... અને ઋષિદત્તા.... મારા મનને ખેંચનારાં એ બે પ્રબળ નિમિત્ત હતાં. મારા મુખ ઉપર મલકાટ આવી ગયો. મેં માતાને કાવેરી જવાની સંમતિ આપી દીધી! માએ મારા મસ્તકે ચુંબન કર્યું અને પ્રસન્ન વદને તે વિદાય લીધી. તેણે પિતાજીને આ શુભ સમાચાર આપવાના હતા ને? પિતાજીને પેલા કાવેરીપતિના દૂતને જવાબ આપવાનો હતો! એ દૂતે કાવેરી જઈને કાવેરીપતિને અને એમની રાજકુમારીને શુભ સમાચાર આપવાના હતા.... મારા મહેલની આસપાસ ગોઠવાયેલા સૈનિકો ખસેડી લેવાયા. મને મહેલની બહાર જવાની છૂટ મળી ગઈ.... હું આશ્રમની સૃષ્ટિમાં ખોવાયો-ખોવાયો રહેવા લાગ્યો. For Private And Personal Use Only
SR No.008918
Book TitlePapane Bandhyu Paniyaru
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy