________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
પાંપણે બાંધ્યું પાણિયારું એ આશ્રમમાં ભગવાન ઋષભદેવનું જિનાલય જોઈને તું ખુશ થઈ જઈશ.”
અને જ્યારે તું મારી માતાને જોઈશ.... એનો પ્રેમ.... એનું વાત્સલ્ય મેળવીશ ત્યારે તો ધન્ય બની જઈશ! ઋષિદત્તાને એનો અનુભવ છે....”
પછી તો ઋષિદત્તાએ મારી માતાનો એવો પરિચય આપ્યો કે રુક્મિણી ગદ્ગદ્ થઈ ગઈ. વાતોમાં રાત વીતી ગઈ હતી. સવારે જ અમારે પ્રસ્થાન કરવાનું હતું. થોડી તૈયારીઓ કરવાની બાકી હતી. અમે ત્યાંથી ઊઠ્યાં અને અમારાં કાર્યોમાં ગૂંથાઈ ગયાં.
કાવેરી અને રથમર્દન નગરની ખાટી-મીઠી સ્મૃતિઓ વાગોળતો વાગોળતો હું નિદ્રાધીન થઈ ગયો.
For Private And Personal Use Only