________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૧
દુ:ખ, ત્રાસ, વેદના અને આંસુઓથી લબાલબ ભરેલો વૃત્તાંત સાંભળીને મારું હૈયું ઘોર વ્યથાથી ભરાઈ ગયું.... પરંતુ જ્યારે ઋષિકુમારનો ભેદ ખૂલી ગયો ત્યારે હું હર્ષવિભોર બની ગયો. ઋષિકુમારના રૂપે ઋષિદત્તા જ મારી સાથે હતી! મને ઋષિકુમાર તરફ કેમ અત્યંત પ્રેમ, આદર અને બહુમાન હતું, તેનું કારણ મને સમજાઈ ગયું. મેં અનેક વાર ઋષિકુમારને કહ્યું પણ હતું કે “તમારું મુખ ઋષિદત્તાના મુખ જેવું જ છે.... તમારી આંખો અને ઋષિદત્તાની આંખો એકસરખી છે! તમારી વાણી અને ઋષિદત્તાની વાણી મને સરખી લાગે છે!'
એક દિવસ મેં ઋષિદત્તાને કહ્યું : “પ્રિયે, મને લાગે છે કે એ જંગલમાં.... એ આશ્રમમાં તારી રક્ષા તારા સ્વર્ગસ્થ પિતા રાજર્ષિએ જ અદૃશ્ય રહીને કરી છે! નહીંતર એ નિર્જન પ્રદેશમાં એકાકી સ્ત્રીએ રહેવું ભયભરેલું જ કહેવાય. ભલે જડીબુટ્ટીથી તે પુરુષ બનીને રહી, છતાં હૃદય તો સ્ત્રીનું જ ને?' | ઋષિદત્તાએ કહ્યું : “નાથ, ખરેખર મને પણ એમ જ લાગ્યું હતું કે મારી રક્ષા કોઈ અદૃશ્ય તત્ત્વ કરી રહેલું હતું. પરમાત્મા ઋષભદેવના અચિંત્ય પ્રભાવો મેં પહેલાં પિતાજી પાસેથી સાંભળેલા પણ હતા. એ પરમાત્મા પ્રત્યે બાલ્યકાળથી મને અખંડ શ્રદ્ધા છે.'
અમે અમારા શ્વેત મહેલના ઝરૂખામાં બેઠાં હતાં. સંધ્યાનો શત-શીતલ સમય હતો. મહેલના ઝરૂખામાંથી ક્ષિતિજ સ્પષ્ટ દેખાતી હતી. મારી દૃષ્ટિ ત્યાં મંડાયેલી હતી. સંધ્યાના મનોહર રંગો જોવામાં હું લીન હતો, ત્યાં ઋષિદત્તાએ મૌન તોડ્યું.
‘નાથ! આપને યાદ છે ને... ઋષિકુમારના રૂપે મેં આપની પાસે વરદાન માગ્યું હતું?
બરાબર સ્મૃતિમાં છે! એ મિત્રે વરદાન માગેલું અને મેં આપેલું માગો, તમારે જે જોઈએ તે!”
આપશો? અવશ્ય આપશો?' ઋષિદત્તાએ પોતાનું ભદ્રાસન મારી નજીક સર કાવ્યું.
શું તને શંકા છે?'
For Private And Personal Use Only