________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
ઋષિકુમાર, તમે ઋષિ છો ને? તમારા વિચારો, તમારું ચિંતન યથાર્થ જ છે, પરંતુ શું બધા મનુષ્યોના જીવનમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે? પાપોદય પછી પુણ્યોદય પણ આવે ને? નહીંતર તમારું આકસ્મિક મિલન થાત જ કેવી રીતે?
એક સુંદર રમણીય પ્રદેશમાં અમે આવી પહોંચ્યા હતા. કાવેરીના રાજ્યોનો આ પ્રદેશ હતો. અમારું સ્વાગત કરવા કાવેરીંપતિના માણસો ત્યાં ઉપસ્થિત હતા. કાવેરીપતિના મહામંત્રીએ અમારું અભિવાદન કર્યું અને કાવેરીપતિનો સંદેશો આપ્યો. કાવેરીમાં અમારી વાટ જોવાઈ રહી હતી.
ભોજનાદિથી નિવૃત્ત થઈ અમે અમારી કુટિરીમાં વિશ્રામ કર્યો. મારું મન પ્રસન્નતાથી પુલકિત હતું. ઋષિકુમાર પણ આનંદવિભોર હતા. મારી પ્રસન્નતાથી મારા સૈનિકો અને મંત્રીઓ પણ પ્રસન્ન હતા. નિર્ધારિત દિવસે અમે કાવેરીનગરના દ્વારે પહોંચી ગયાં.
For Private And Personal Use Only