________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું.
ઋષિકુમારની વાત સાંભળી મારી આંખો હર્ષનાં આંસુઓથી ભીની થઈ ગઈ. ઋષિકુમારનો આભાર માનવાના મને શબ્દો ન જડ્યા.... ત્યાં ઋષિકુમારે મને પૂછ્યું :
કહો, તમારે શું કહેવું છે?' ‘તમે મારી સાથે ચાલો!” સીધી જ વાત કહી દીધી.
ક્યાં?' “કાવેરી!” કાવેરી? લગ્નમાં? રુક્મિણી સાથેનાં તમારાં લગ્નમાં?” “હા.” “એક ઋષિકુમાર તરીકે લગ્નપ્રસંગમાં આવવું અનુચિત કહેવાય.'
ભલે અનુચિત કહેવાય, મારી ખાતર... એક દુઃખી... સંતપ્ત મિત્રની ખાતર અનુચિત કાર્ય પણ ઉચિત કહેવાશે.'
એવું ન બોલો કુમાર, તમારા મનને શાંતિ મળે, પ્રસન્નતા મળે, એ માટે મારાથી શક્ય બધા જ પ્રયત્નો મારે કરવા જોઈએ, પરંતુ આ તો મેં મારી ઋષિઅવસ્થાનું ઔચિત્ય-અનૌચિત્ય બતાવ્યું.”
તો પછી સાથે આવશો ને? હા કહી દો, ઋષિકુમાર!'
ઋષિકુમારે આંખો બંધ કરી દીધી. એમના મુખ ઉપર ગંભીરતા છવાઈ ગઈ. એ ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. હું એમના પ્રત્યુત્તરની રાહ જોતો.... ઉત્સુક હૃદય અને આતુર નયને એમની સામે જોતો જ રહ્યો.
થોડી ક્ષણો વીતી, તેમણે આંખો ખોલી. મારી સામે જોયું. એમની આંખોમાં મેં ઋષિદત્તાનો પ્રેમ જોયો!ઋષિદત્તાનો આદર જોયો.... એવી જ નિર્દોષતા... એવી જ કોમળતા.... એવી જ સ્નેહની ભીનાશ! તેઓ બોલ્યા :
કમાર, માનો કે હું તમારી સાથે કાવેરી આવું, પરંતુ રુક્મિણી સાથે તમારાં લગ્ન થઈ ગયા પછી હું તમારી સાથે નહીં રહી શકું.”
કેમ? શાથી ન રહી શકો?” ‘છેવટે તમે રાજકુમાર છો. તમારા પિતાજી રાજા છે.... એક ષ સાથેની.... એક વનવાસી સાથેની મિત્રતા તેમને ન ગમે, રુક્મિણીને પણ ન ગમે અને
જ્યાં કોઈના દિલને દુઃખ થતું હોય ત્યાં મારાથી... એક ઋષિકુમારથી ન રહેવાય.”
For Private And Personal Use Only