________________
८८
ઉઘાડા વગોવવા ન જોઈએ એમ લાગે છે.
નહિ ઐસો જનમ બાર-બાર
રત્નત્રયી અને તત્ત્વત્રયીના મિત્રને જ મિત્ર બનાવો
એક જ પ્રતિજ્ઞા કરો કે મારો મિત્ર તેને જ બનાવીશ જે તત્ત્વત્રયી અને રત્નત્રયીનો જીગરજાન દોસ્ત હશે; જેને તત્ત્વત્રયી અને રત્નત્રયી પ્રત્યે અપાર પ્રેમ હશે.
તત્ત્વત્રયી અને રત્નત્રયીના પ્રેમીનો જ હું પ્રેમી...
સુદેવ, સુગુરુ, અને સુધર્મ એ તત્ત્વત્રયી.
સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ રત્નત્રયી.
આ દેશની પ્રજાનું વધુમાં વધુ નિકંદન કાઢી નાંખવામાં, ગમે તેને મિત્ર બનાવવાના પાપે મોટામાં મોટો ભાગ ભજવ્યો છે.
જેની સામે સુદેવાદિનો ઉચ્ચતમ આદર્શ જ નથી તે પોતે પોતાના જીવનને ઊંચી કક્ષાના ધર્મોથી શી રીતે કંડારી શકશે ?
જેને રત્નત્રયીનું જ્ઞાન પણ નથી તેને સંસારના સુખો શી રીતે ભયાનક લાગશે ? ભયાનકતાના એ ભાન વિનાના લોકો આ ધરતી ઉપર શાપના ઓળા બનીને ઊતરે તેમાં શી નવાઈ છે ?
ઘણો મોટો વર્ગ તત્ત્વત્રયી અને રત્નત્રયીની વિચારણાથી પણ વિમુખ બની ગયો છે. જ્યાં સુધી આ બે ‘ત્રયી’ સહુને સમજાવવામાં નહિ આવે ત્યાં સુધી જીવનમાં ખુમારી નહી આવે; ખુમારી વિના સુખમાં અલીનતા અને દુઃખમાં અદીનતા સિદ્ધ નહિ થાય. તે સિદ્ધિ વિનાનું જીવન પશુના જીવનમાં ચાલ્યા જવાની પાત્રતાવાળું - એક જાતનું - પશુજીવન જ બની રહેશે.
ઘરના દરેક વડીલે આ બેય ત્રયીના જ્ઞાની-પ્રેમી બની જવું જોઈએ. આશ્રિતોને
તેના સાચા પ્રેમી બનાવવા જોઈએ.
બેઢંગા બનેલા ધર્મદર્શને ધર્મશ્રદ્ધાનાશ
કહેવાય છે કે નવી પેઢીના કિશોર-કિશોરીઓને ધર્મતત્ત્વમાં શ્રદ્ધા રહી નથી. આ વિધાનને પડકારવાનો કોઈ અર્થ નથી. કેમકે મહદંશે આ વાત સાચી જણાય છે.