________________
નહિ એસો જનમ બાર-બાર
કક્ષાદે ધર્મો
કોઈ પણ વ્યવહાર ધર્મ સર્વ વ્યક્તિ માટે; સર્વ કાળ માટે એકસરખો ન કહી શકાય.
હા... સ્વરૂપશુદ્ધિનો એક જ નિશ્ચય ધર્મ સર્વકાળની સર્વવ્યક્તિના આદર્શરૂપે જરૂર કહી શકાય. નિરોગી માટે દવા ન લેવી તે ધર્મ; રોગી માટે દવા લેવી તે ધર્મ... સાધુ દ્રવ્ય જિનપૂજા કરે તો અધર્મ, શ્રાવક એ જિનપૂજા ન કરે તો અધર્મ.
સ્ત્રીને માટે સાડલો પહેરવો એ ધર્મ; પુરુષને માટે એ જ અધર્મ.
એક જ ગુણ એક જ વ્યક્તિના ભિન્ન ભિન્ન કાળે ધર્મ, અધર્માદિ સ્વરૂપ બની જતો હોય છે.
જ્યાં સુધી કાર્યસિદ્ધિ ન થાય ત્યાં સુધી તે કાર્ય પ્રત્યે શક્તિમાન વ્યક્તિએ ઉદાસી ન રહેવું તે અધર્મ; પરંતુ કાર્યસિદ્ધિ થઈ ગયા બાદ હવે ઉદાસીન રહેવું (તેમાં અહંતા મમતા ન કેળવવા) તે ધર્મ બની જાય છે.
ભૂખ્યા માણસને ભોજન કરવા પૂર્વે ભોજન કરાવવું એ આવશ્યક બાબત બની જાય છે જ્યારે ભોજન કરી લીધા બાદ, “ભોજન કરવું તે તદ્દન અનાવશ્યક બની જાય છે.
સ્ત્રીઓને જિનપૂજા કરવી તે ધર્મ છે પરંતુ એમ.સી. કોર્સમાં તે જ ક્રિયા મહાઅધર્મ બની જાય છે. - ધર્મરક્ષા કાજે ગીતાર્થ મુનિને કોઈ સ્વરૂપહિંસા કરવી જ પડે તેવી જ સ્થિતિ ઉપસ્થિત થઈ હોય તે વખતે તેમ કરે તો જ અહિંસક કહેવાય.
શાસ્ત્રસંમત અપવાદ માર્ગનું તેના સેવન સમયે સેવન ન કરે તો તે મુનિ વિરાધક કહેવાય. અત્યંત પાપિષ્ટ આત્માને ઉપદેશ દેવો તે અધર્મ છે; સુયોગ્ય વ્યક્તિને ઉપદેશ ન દેવો તે અધર્મ છે. કુપાત્રને દીક્ષા ન દેવી તે ધર્મ છે. સુપાત્રને દીક્ષા ન દેવી તે અધર્મ છે. જિનશાસનના આ અટપટા મર્મોને આપણે જાણવા જ રહ્યા.
કેટલા ઊંચા દેવાદિના આદર્શો!
વૈજ્ઞાનિકો કહે છે કે કરોડો ફેરનહીટની ગરમીથી સૂર્ય તપે છે માટે જ આ