SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર ઉપવાસ કરો; આજીવન બ્રહ્મચારી બનો; સર્વસ્વનું દાન કરો... બધું ય નિષ્ફળ. માટે જ ગમે તે રીતે મજાનો એવો મોક્ષ મજાનો લાગી જ જવો જોઈએ. ત્યાંનો આનંદ; ત્યાનું સુખ; ત્યાંનું શાશ્વત જીવન; વગેરે સમજી લો અને તે સ્થાનના પ્રેમી બની જ રહો. પણ નહિ જોયેલી એ દુનિયા ઉપર પ્રેમ જગાડી દેવાનું કામ ઘણું જ કાઠું છે એમ લાગે છે; ચાહે તેટલી એ ચીજ સારી હોય. હવે શું કરવું? મોક્ષનો પ્રેમ તો ગમે તે રીતે જગાડવો જ રહ્યો. ખેર... પેલી વાત યાદ આવે છે કે દિવેલ પીવા માટે બાળક સીધી રીતે મોં ખોલે નહિ તો મા એનું નાક દબાવીને પણ મોં ખોલાવી દે છે. આવી જ કોઈક “ટ્રીક” અહીં સમજાવવી છે. સારું ત્યારે; ભલે મોક્ષના આનંદની મજામાં મજા ન આવતી હોય પણ ચારે બાજુથી સળગેલા તમારા સંસારના સુખોની સજા તો અનુભૂત જ છે ને? કેવો સળગ્યો છે સંસાર? એકે ય વાત દુઃખ વિનાની નહીં, એકાદ દુઃખ બધાં સુખને સળગાવે; બધા સુખ અંતે તો વિયોગ જ પામે. હાય! માર્યા વિના તો અહીં જિવાય જ નહિ. આવા સંસાર ખાતર અમૂલ્ય શક્તિ, સમય અને ધર્મનો ભોગ આપી દીધો તો ય એ તો અહીંથી હાલ્યા જવાનું રોકડું પરખાવી જ દેશે. કેવો ખરાબ છે સંસાર? તો અહીંથી નાસી જ છૂટવું જોઈએ ને? જ્યાં આ સંસાર નથી ત્યાં સ્તો વળી. બંગલાદેશના બંગાળીઓએ બંગલાદેશમાંથી કેવી નાસભાગ કરી? શું ભારત તેમને ગમી ગયું છે? ના... પણ યાહ્યાખાનના પંજામાં સપડાયેલો દેશ તો તેમને ભૂડો લાગી જ ગયો છે. માટે જ... તમે ય એક વાર સહુ સાથે બોલો... “સંસાર ખૂબ જ ખરાબ છે.' “ભૂખ્યાને પ્રથમ ભોજન! પછી ધર્મ!” કહેનારાઓને... ચારે બાજુ બૂમરાણ મચી છે, “ભૂખ્યાને ભોજન જ ન મળે; નાગાને વસ્ત્ર જ ન હોય; સૂવાને ઓટલો ય ન હોય તે માણસને ધર્મની વાતો કરવાનો કોઈ અર્થ નથી. પહેલાં એની જરૂરિયાતો પૂરી પાડો; પછી ધર્મની વાત કરો.”
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy