SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર કરી દીધી છે. એ દુઃખ છે સેવકપણાના નાશનું. જેણે ભગવાનની ભક્તિ કરી; એની આજ્ઞાનું અણિશુદ્ધ પાલન કર્યું, એ આજ્ઞાઓના પાલન ખાતર સઘળી ઈચ્છાઓ, તમામ પ્રલોભનો, બધા જ સંબંધોને-એના આનંદોને-ઘૂંકી નાખીને ભેખ લીધો એ એક દિવસ સેવક મટીને ભગવાન બની જવાનો. ભગવાન બન્યા પછી સેવકપણું; અને સેવકપણાના આનંદની સઘળી મસ્તી ચાલી જવાની છે. હવે તો જેમ ભગવાન, ભગવાન. તમે આ સેવક પણ ભગવાનબે ય સરખા બની ગયા. કોઈ કોઈને નમે નહિ; કોઈ કોઈના ગીત ગાય નહિ. જે ભક્તોએ ભક્તિની અપાર મસ્તી અનુભવી છે એમને ભગવાન થવામાં ય આ દુઃખનું દર્શન થાય છે, અને તેથી જ તેઓ સદા ભગવદ્ભક્ત રહેવાનું જ જાણે પસંદ કરતા હોય તે રીતે પ્રાર્થના સૂત્રમાં ભવોભવમાં ભક્તિ માંગે છે. - હવે વિચારો કે આનંદ ક્યા જપમાં આવે? સોડä ના જપમાં? કે તાસોઢું ના જપમાં? જપો સદા હાસોઢું એમાંનો “હા” આપમેળે ઊડી જ જવાનો હોય તો પછી આપણે વાંધો ન લેવો. પ્રભુદર્શન કરતાં અર્થકામવાસના સંભવિત જ નથી ભાવુકાત્મા મંદિરમાં જઈને ખરેખર પ્રભુનું જ દર્શન કરે તો ત્યાં ઊભા રહીને પરમાત્મા પાસે અર્થકામની કોઈ પણ યાચના કરવાનું સંભવિત જ લાગતું નથી. દર્શન જો પ્રભુનું જ થતું હોય તો તે વખતે અર્થ કે કામ સંબંધિત વાતો એ જ આંખની સામે આવીને શી રીતે ઊભી રહે? દર્શન કરતાં કરતાં અંતર જો પ્રભુનું જ સ્મરણ કરતું હોય તો એ અંતરમાં અર્થકામનું સ્મરણ જ શી રીતે થાય? અને અર્થકામનાં સ્મરણ અને દર્શનના અભાવમાં એની યાચના કરવાની તો વાત જ રહેતી નથી. પ્રભુના દર્શનથી પ્રભુમય બની જવાય. એ વખતે તો આર્થિક ભીંસના કે કામાસક્તિના સઘળા ય દુઃખોનું વિસ્મરણ જ થઈ જાય. કદાચ એ દુઃખોને રટતો આવતો ભક્ત પણ જ્યારે પ્રભુદર્શન કરે ત્યારે તો બધુંય ભૂલી જ જાય. હા..
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy