________________
૨૪૨
નહિ એસો જનમ બાર-બાર
મોક્ષનું મૂળ “જીવ નિત્ય છે''ની માન્યતામાં
જો તમારે મોક્ષમાં જવું જ હોય તો ત્યાં સુધી પહોંચવા માટે સાત પગથિયાં ચડવા પડશે.
આપણે ઉપરથી નીચેના ક્રમે પગથિયાં વિચારીએ. જેને મોક્ષમાં જવું હોય તેણે મોક્ષમાં ન જવાય ત્યાં સુધી સદ્ગતિઓમાં જ જવું જોઈએ, કેમકે ત્યાં જ જિનભક્તિ; જિનવાણીશ્રવણાદિની પ્રાપ્તિ શક્ય છે.
સદ્ગતિમાં જવા માટે મરણમાં સમાધિ આવશ્યક છે.
મરણમાં સમાધિ મેળવવા માટે જીવનમાં શાંતિ અત્યંત જરૂરી છે. શાંતિ એટલે સુખમાં અલીનતા અને દુઃખમાં અદીનતા.
એ શાંતિ પામવા માટે માણસે “સારા” બનવું જ રહ્યું. સારા બનવું એટલે ઓછામાં ઓછું વેપારમાં નીતિમાન, જીવનમાં સદાચારી અને હૈયે દયાળુ બનવું.
આવું સારાપણું લાવવા માટે પાપથી ડરતા રહેવું જોઈએ. પાપથી ડરે તે જ પાપો કરતો અંતે મટે; અને સારો બને.
પાપનો ડર લાવવા માટે પરલોકદ્રષ્ટા બનવું જ જોઈએ. જેને પરલોકની સતત યાદ આવે છે તે જ પાપોથી ડરતો-ફફડતો રહે છે.
પરલોકદષ્ટિ કેળવવા માટે આત્માની નિત્યતાનો સ્વીકાર કરવો જોઈએ. આત્માને પરિણામી નિત્ય માનનારો જ એ વાત વિચારી શકે છે કે, “મારે આ દેહ છોડીને ક્યાંક જવાનું છે. હવે જો આ વસ્તુસ્થિતિ જ હોય તો મારે પાપ ન જ કરવું જોઈએ; અન્યથા ત્યાં તેના ઉત્તર ફળ મારે ભોગવવા જ પડશે.
મોક્ષે જવા માટેના આ સાત પગથિયાં, આત્માનું નિત્યત્વ, પરલોકદૃષ્ટિ, પાપડર, સારાપણું, શાંતિ, સમાધિ, સગતિ... પૂર્વ ને પામ્યા વિના ઉત્તર પગથિયાંની આશા કોઈ રાખશો મા !
ભેળસેળ કરવી જ હોય તો...
કયો ધર્મ હશે જેમાં અર્થ કે કામની વાસના નહિ પડી હોય? છે કોઈ એવો ધર્મીજન! સાચે જ તેને દર્શનીય કહેવો જોઈએ.
અર્થ કે કામની કોઈ પણ ભાવનાથી સર્વથા અણખ કર્યો ધર્મ આરાધનારા આ