SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનસાર” ગ્રન્થના રચયિતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીમદ્દ થશોવિજયજી ભારતીય સંસ્કૃતિ હંમેશાં ધર્મપ્રધાન રહી છે, કારણ કે ધર્મથી જ જીવમાત્રનું કલ્યાણ થઈ શકે છે. ધર્મથી જ જીવનમાં સાચી શાંતિ અને પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે. જીવોની જુદી જુદી ભૂમિકાઓને લક્ષ્યમાં રાખીને જ્ઞાની પુરુષોએ ધર્મનું પાલન કરવાના પણ અનેક પ્રકારો અને માર્ગો બતાવ્યા છે. જગતના જીવોને એમની ભૂમિકા અનુસાર ધર્મમાર્ગ બતાવવાનું... એ ધર્મમાર્ગે ચાલવાની પ્રેરણા આપવાનું કાર્ય, પવિત્ર જીવન જીવતા સાધુપુરુષ પ્રાચીનકાળથી કરતા આવ્યા છે અને આજે પણ કરી રહ્યા છે. નિષ્પાપ જીવન જીવવું... આત્મસાધનામાં જાગ્રત રહેવું અને સાથે-સાથે કણા અને વાત્સલ્યથી પ્રેરાઈને જગતના કલ્યાણ માટે ધર્મનો ઉપદેશ આપવો, સુંદર ધર્મગ્રન્થોનું નિર્માણ કરવું, એ જ છે સાધુજીવનની મુખ્ય પ્રવૃત્તિ. એ જ છે એમની વિશ્વસેવા. વિશ્વવત્સલ ભગવાન મહાવીરસ્વામીના ધર્મશાસનમાં છેલ્લા ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં એવા ધર્મપ્રભાવક અનેક મહાનું આચાર્યો અને સાધુપુરુષ થઈ ગયા છેઆજ સુધી થતા રહ્યા છે. પરંતુ એ બધામાં પણ પોતાની અસાધારણ પ્રતિભા, વિશિષ્ટ શાસનપ્રભાવના અને વિપુલ સાહિત્યસર્જન આદિને કારણે આગળ તરી આવતા, શ્રી ભદ્રબાહુસ્વામીજી, શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હરિભદ્રસૂરિજી અને શ્રીમદ્ હેમચન્દ્રચાર્ય જેવા સમર્થ પુરુષોની પંક્તિમાં જેમનું શુભનામ આદરપૂર્વક લેવામાં આવે છે તે ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ, પ્રસ્તુત ગ્રંથરત્નના-જ્ઞાનસારના રચયિતા છે. વિક્રમની ૧૭મી શતાબ્દીમાં થઈ ગયેલા પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના જીવન વિશે અનેક દંતકથાઓ અને કિંવદંતીઓ લોકજીભે રમતી રહી છે, પરંતુ ૧૭મી શતાબ્દીમાં જ રચાયેલા એક નાનકડા ગ્રન્થ “સુજશવેલી ભાસ'માં ઉપાધ્યાયજીનું યથાર્થ જીવનવૃત્તાન્ત સંક્ષેપમાં પ્રાપ્ત થાય છે. એતિહાસિક દૃષ્ટિએ સુજશવેલી ભાસ'ને જ પ્રમાણભૂત માની શકાય. અહીં એના આધારે ઉપાધ્યાયજીના જીવનપ્રસંગો સંક્ષેપમાં પ્રસ્તુત કર્યા છે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy