________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
જ્ઞાનસાર અનુષ્ઠાન તેમને આત્મસાતું હોય છે. આ અનુષ્ઠાન જિનકલ્પી મહાત્મા વગેરેમાં હોય.
ध्यानवृष्टेर्दयानद्याः शभपूरे प्रसर्पति। विकारतीरवृक्षाणां मूलादुन्मूलनं भवेत् ।।४।।४४ ।। અર્થ: ધ્યાનરૂપ વૃષ્ટિથી દયારૂપ નદીનું ઉપશમરૂપ પૂર વધે છે ત્યારે કાંઠાનાં વિકારરૂપ વૃક્ષો મૂળથી ઊખડી જાય છે.
વિવેચન : ગંગા-યમુના કે તાપી-નર્મદાનાં પ્રલયંકર પૂર તમે કદી જોયાં છે? કિનારા પર રહેલાં તોતિંગ વૃક્ષોને કડડડભૂસ કરતાં ભોંય ભેગાં થતાં જોયાં છે? દયા... કરુણાની સિંધુસદશ સરયૂમાં જ્યારે સમજલનું ધસમસતું પૂર આવે છે ત્યારે કિનારા પર રહેલાં. અનંતકાળથી ફાલેલાં-ફૂલેલાં ભૌતિક... પૌગલિક વાસનાઓનાં વૃક્ષો ભારે કડાકા સાથે આમૂલ ઊખડી પડે છે.
પરંતુ નદીનાં પૂર ક્યારે આવે? દીર્ઘકાળ સુધી મૂશળધાર વર્ષા થાય ત્યારે આત્મપ્રદેશ પર દવાની.. કણાની નદી વહી રહી હોય અને આત્મપ્રદેશ પર ધર્મધ્યાનની અવિરત વૃષ્ટિ થઈ રહી હોય ત્યારે શમરસનું પૂર ચઢી આવે છે... પૂરનો પ્રબળ પ્રવાહ વાસનાનાં વૃક્ષોને ઉખાડી ફેંકી દે છે.
કરુણાની... જીવદયાની નદીમાં સમરસનું પૂર આવે છે. એટલે, પહેલાં સર્વ જીવો પ્રત્યે “સલ્વે નીવા ન દંતધ્વા” જગતના સર્વ જીવોને નહિ મારવાની, પીડા નહિ આપવાની વૃત્તિરૂપ અને પ્રવૃત્તિરૂપ કરુણા જરૂરી છે. કરુણાની ધારા ચાલવી જોઈએ. અને બીજી વાત છે ધ્યાનની. ધર્મધ્યાનની અવિરત ધારા ચાલવી જોઈએ.
અર્થાત્ ત્રીજો યોગ છે ધ્યાનનો, “ધ્યાને સ્થિરોડથ્યવસાય: શ્રી ધ્યાનવિચારમાં સ્થિર અધ્યવસાયને ધ્યાન કહેવામાં આવ્યું છે. આર્ત-રૌદ્ર એ દ્રવ્યધ્યાન છે, આજ્ઞાવિચય-અપાયરિચય-વિપાકવિચય અને સંસ્થાનવિજયરૂપ ધર્મધ્યાન તે ભાવથ્થાન છે. “પૃથક્વવિતર્ક સવિચારરૂપ શુક્લધ્યાનનો પહેલો ભેદ “પરમધ્યાન' છે. શ્રી “આવશ્યકસૂત્ર'માં મલયગિરિ મહારાજે ધર્મધ્યાનીનાં લક્ષણ બતાવ્યાં છે :
सुविदियजगस्सभावो निस्सगो निभओ निरासो अ।
वेरागभावियमणो झाणमि सुनिश्चलो होइ ।। “જગસ્વભાવ જેને સુપરિચિત છે, જે નિસંગ છે, નિર્ભય છે. સ્પૃહારહિત
For Private And Personal Use Only