SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૪ જ્ઞાનસાર વિવેચન : ઇન્દ્રને ભય કોનો? જેની પાસે મોટા મોટા... આકાશને આંબી જનારા પર્વતરાજોનાં શિખરોને ક્ષણવારમાં ચૂર કરી નાખનારું વજ્ર છે તેને ભય કોનો? એ તો રમણીય સ્વર્ગનાં નન-કાનનમાં મસ્ત બનીને આનંદ લૂંટતો હોય છે. તેનું ચિત્ત નિર્ભય હોય છે, અભ્રાન્ત હોય છે. યોગીને ભય કોનો? જેની પાસે વજ્ર જેવું કઠોર મિથ્યાત્વનાં...ધન રાગદ્વેષનાં હિમાલયનાં શિખરોને ધરાશાયી કરનારું ‘જ્ઞાન' છે!... જ્ઞાનવજ્ર છે, તેને ભય કોનો? એ તો સોહામણા આત્મપ્રદેશના સ્વર્ગમાં... આત્માનંદના નન્દનવનમાં નિર્ભય...નિર્ભ્રાન્ત ચિત્તે રમણ કરતો... અપૂર્વ સુખને અનુભવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં મુનિને દેવરાજ ઈન્દ્રની ઉપમા આપવામાં આવી છે. ઈન્દ્ર વજ્રને ક્ષણવાર પણ દૂર કરતો નથી, તેવી રીતે મુનિએ પણ આત્મપરિણતિરૂપ જ્ઞાનને ક્ષણવાર પણ દૂર ન કરવું જોઈએ, તેવો ગર્ભિત ઉપદેશ અહીં આપવામાં આવ્યો છે. પ્રતિસમય એ જ્ઞાનવજ મુનિની પાસે જ રહેવું જોઈએ, તો જ મુનિ નિર્ભય ચિત્તે આત્મસુખનો અનુભવ કરી શકે. ભગવંત મહાવીરદેવે ગૌતમને કહ્યું : ‘સમય ગોયન! મા પમાય.’ એનો રહસ્યસ્ફોટ અહીં થાય છે : ‘હે ગૌતમ! જ્ઞાનવજને એક સમય પણ દૂર કરવાની ગફલતમાં ન રહીશ.’ આમ કહીને ભગવંતે સર્વ મુનિવરોને આત્મપરિણતિરૂપ જ્ઞાનને પ્રતિસમય સંભાળવા સમજાવ્યું છે. જ્યાં આત્મપરિણતિને વિસારી, ત્યાં રાગદ્વેષ અને મોહરૂપી અસુરોનો હુમલો થયો સમજો. એ અસુરો મુનિને આત્માનંદના નંદનવનમાંથી બહાર કાઢી પુદ્ગલાનંદના નર્કાગારમાં ધક્કો દઈ દે છે. મુનિ પોતાના મુનિપણામાંથી ભ્રષ્ટ થાય છે...તેની ચારે કોર ભય, અશાંતિ, ક્લેશનું નર્કાગાર સર્જાઈ જાય છે. જ્યાં સુધી મુનિ આત્મપરિણતિમાં રહે છે ત્યાં સુધી રાગદ્વેષ અને મોહ તેની પાસે આવી શકતા નથી. મુનિ નિર્ભયતાપૂર્વક આત્મસુખ અનુભવતો રહે છે. पीयूषमसमुद्रोत्थं रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्चर्यं ज्ञान्माहुर्मनीषिणः ||८ ||४० ॥ અર્થ : જ્ઞાન અમૃત છે છતાં સમુદ્રમાંથી પેદા થયેલું નથી, રસાયણ છે છતાં ઔષધ નથી, ઐશ્વર્ય છે છતાં હાથી-ઘોડા વગેરેની અપેક્ષા નથી, એમ મોટા પંડિતો કહે છે. વિવેચન : લોકો કહે છે કે 'અમૃત સમુદ્રના મંથનમાંથી પ્રગટયું છે.’ For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy