________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાન
૩૯ વિવેચન : અમારો આગ્રહ નથી કે તમે ઘણા ગ્રંથો ભણી લો. અમારો આગ્રહ નથી કે હકીકતોનું વિશાળ ભંડોળ ભેગું કરી લો. અમારો તો એક આગ્રહ છે : નિર્વાણ સાધક એક પણ પદ...એકાદ ગ્રંથ. એકાદ પ્રકરણનું ઊંડાણથી અધ્યયન કરો; તેમાં લયલીન બની જાઓ.... ચિત્તમાં વારંવાર તેનું જ ચિંતન કરો... મુક્તિ તરફ લઈ જનારું આવું એક પણ ચિંતન તમારા ચિત્તમાં રમી ગયું. એ જ સાચું જ્ઞાન છે, એ જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. જ્ઞાનને ઉત્કૃષ્ટ-શ્રેષ્ઠ બનાવવા નીચેના ચાર મુદ્દા મહત્ત્વના છે.
ગ્રંથ હાથમાંથી મૂકી દીધા પછી પણ ગ્રંથોક્ત તત્ત્વનું પરિશીલન ચિત્તમાં ચાલવું જોઈએ. જેમ જેમ એ તત્ત્વનું પરિશીલન થતું જાય તેમ તેમ તત્ત્વોપદેશક પરમકૃપાળુ વીતરાગ ભગવંત તરફ પ્રીતિભક્તિ, ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતાભાવ, તત્ત્વમાર્ગ તરફ અપૂર્વ આકર્ષણ... હૃદયમાં ઉલ્લસિત થવાં જોઈએ. જ તત્ત્વનું ભાવન શાસ્ત્રદર્શિત યુક્તિઓના સહારે કરવું જોઈએ. આગમોક્ત
શૈલી અનુસાર કરવું જોઈએ. અર્થાતુ યુક્તિવિરુદ્ધ કે આગમવિરુદ્ધ તત્ત્વભાવના કરવી જોઈએ નહીં . છે. જેમ જેમ તત્ત્વચિંતનની ચિત્તમાં રમણતા થતી જાય તેમ તેમ કષાયોના
ઘમઘમાટ શમવા લાગે, સંજ્ઞાઓની બૂરી આદત ઘટવા લાગે, ગારવોના ઉન્માદ મંદ થવા લાગે.
માષતષ મુનિને ગુરુમહારાજે નિર્વાણસાધક એક પદ આપ્યું : મા રુષ...મા તુષ' રાગ ન કરો. દ્વેષ ન કરો..” બસ બાર વર્ષ સુધી મહામુનિએ એક જ પદને વિચાર્યું - પરિશીલન કર્યું. ઉપરોક્ત ચારેય વાતોને ધ્યાનમાં રાખીને ખૂબ મંથન કર્યું. બાર વર્ષના અંતે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું! એક પદના સતત પરિભાવનથી નિર્વાણની સિદ્ધિ કરી... “આ પ... મા તુષ” આ એક વાક્ય મહામુનિનું ઉત્કૃષ્ટ જ્ઞાન બની ગયું... કારણ કે તેના દ્વારા ઉત્કૃષ્ટ જ્ઞાન-કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. ચિત્તનું તત્ત્વચિંતનમાં વિલીનીકરણ કરવું તે ઉત્કૃષ્ટ જ્ઞાન છે.
स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिष्यते।
ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् तथा चोक्तं महात्मना ।।३।।३५।। અર્થ : આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણભૂત જ્ઞાન ઈચ્છીએ છીએ. એ સિવાય બીજું જે અધિક ભણવું તે બુદ્ધિનું અંધપણું છે. આ જ પ્રમાણે મહાત્મા પતંજલિએ કહ્યું છે.
For Private And Personal Use Only