________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
અમોહ
यो न मुह्यति लग्नेषु भावेष्वौदयिकादिषु ।
સાવાના પાન નાસી પાપન નિતે સારૂ ર૭I અર્થ : જે લાગેલા ઔદયિકાદિ ભાવોમાં મૂંઝાતો નથી તે જીવ, આકાશ જેમ કાદવથી લેપાતું નથી તેમ પાપથી લપાતો નથી.
વિવેચન : મોહની માયાનો પણ કોઈ પાર નથી.. મોહ સાથેના યુદ્ધના મેદાનમાં જેને મોહ પર વિજય મેળવવો છે તેણે મોહની એ માયાજાળનો પણ પૂરો ખ્યાલ મેળવી લેર્વા પડે છે. જેને મોહની માયાજાળનો પાકો ખ્યાલ આવી ગયો... પછી તેમાં તે ફસાવાનો નહિ... શત્રુની માયાજાળને માયાજાળ સમજી લીધા પછી એના પર મોહિત થવાય ખરું?
મોહે વિશ્વ પર ઔદયિકભાવની માયાજાળ આબાદ રીતે બિછાવેલી છે. અજ્ઞાન, અસંયમ, અસિદ્ધતા, છ વેશ્યાઓ, ચાર કષાયો, ત્રણ વેદ, ચાર ગતિ અને મિથ્યાત્વ. માયાજાળનાં આ એકવીસ મુખ્ય અંગો છે... એવી રીતે ક્ષાયોપશામિક ભાવનાં બધાં અંગો ફસાવનારાં નથી. હા, બેભાન રહે તો તો ત્યાં પણ ફસાવાનું જ છે. દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યની લબ્ધિઓ, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન...વગેરેમાં ફસાતાં વાર નહિ ,
આવા અશુભ ભાવોમાં જે જીવ ફસાતો નથી, મોહ તેને શુભ ભાવોમાં ફસાવવા પ્રયત્નો કરે છે. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમસમકિત-ચારિત્ર વગેરેમાં વસવા છતાં પણ જીવે જો આસક્તિ કરી, રાગ-દ્વેષ કર્યો, તો પણ મોહની જાળમાં ફસાયો સમજવો. તે જાળને ભેદવા માટે સૂક્ષ્મ મતિ અને મહાન યુદ્ધકુશળતા હોય તો જ તે ભેદાય.
વાત એક છે. મોહ ગમે તેવાં બાહ્ય-અત્યંત આકર્ષણો ઊભાં કરે, જીવે તેના પર મોહ નહિ કરવાનો...બસ, પછી મોહ કંઈ જ કરી શકતો નથી, જેમ કોઈ મનુષ્ય આકાશને મલિન કરવા કાદવ ઉછાળે... આકાશ મલિન થતું નથી, તેમ મોહ ગમે તેટલો કાદવ ઉછાળે, જે આત્મા રાગ-દ્વેષ કરતો નથી તેને કાદવ સ્પર્શ કરતો નથી. પાપથી તે લપાતો નથી.
અરાગ-અષના બખ્તરને મોહનાં તીવ્ર તીરો ભેદી શકતાં નથી.
For Private And Personal Use Only