________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમોહ
अहं-ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्ध्यकृत् ।
अयमेव हि नपूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।।१।।२५।। અર્થ: “હું અને મારું' આ મોહરાજાનો મંત્ર છે, તે જગતને આંધળું કરનાર છે, અને નકારપૂર્વક આ જ વિધી મંત્ર પણ છે, તે મોહને જિતનાર છે.
વિવેચન : અંધ મનુષ્યને પથભ્રષ્ટ થતાં વાર ન લાગે તેમાં પણ બાહ્ય આંખો પર જેને અંધાપો હોય છે તે તો અભ્યાસ દ્વારા માર્ગ પર સીધો ચાલી શકે છે, પરંતુ આંતરચક્ષુ પર જેને અંધાપો આવી ગયો, તે તો કદાપિ સરળ અને સીધા સન્માર્ગ પર ચાલી શકતો નથી.
જીવની આંતરચક્ષુઓ એમ જ બિડાઈ ગઈ નથી. તેના પર મંત્રપ્રયોગ કરવામાં આવેલો છે. જીવ પોતે જ મંત્રપ્રયોગ કરે છે એની આંતરચક્ષુઓ પર. મોહરાજા પાસેથી તેને એ મંત્ર મળેલો છે. મોહરાજાએ જીવને સમજાવીને એ મંત્ર આપેલો છે : “જ્યાં સુધી આ મંત્ર તું ૨સ્યા કરીશ ત્યાં સુધી જગતનાં રમણીય સુખો તું મેળવી શકીશ...રાખી શકીશ...” બાહ્ય પૌદૂગલિક સુખોના લાલચુ જીવને વાત ગમી ગઈ... તેણે મંત્ર સ્વીકાર્યો - “સદં-મમ”. રાત અને દિવસ, ગામમાં ને વનમાં, ઘરમાં ને દુકાને...મંદિર ને ઉપાશ્રયમાં... સર્વત્ર તે આ મહામંત્રનું રટણ કરતો ભટકી રહ્યો છે. અનાદિ કાળથી ભટકી રહ્યો છે. આ મંત્રના પ્રભાવથી તેની દિવ્ય દૃષ્ટિ બિડાઈ ગઈ છે. તે મોક્ષમાર્ગ જોઈ શકતો નથી.
ભટકતો ભટકતો જીવ “ચારિત્રધર્મ રૂપ મહારાજાના દ્વારે જઈ ચઢે છે... પરમ કૃપાળુ ચારિત્રધર્મ-મહારાજા પાસે તે પોતાનાં તન-મનનાં દુ:ખો દૂર કરવા પ્રાર્થના કરે છે.
જીવ, તારે તન-મનનાં તમામ દુઃખો દૂર કરવાં હોય તો એક કામ કરવું પડશે.'
“શું પ્રભુ? “મોહનો આપેલો મંત્ર “-મમ” – “અને મારું.” ભૂલી જવો પડશે.' ‘પણ તેને હું અનંત કાળથી ગણતો આવ્યો છું...મારા પ્રદેશે... પ્રદેશ તેનો નાદ ઊઠી રહ્યો છે... અને હવે હું ભૂલી શકવા સમર્થ નથી..'
લે આ બીજ મંત્ર. તે જપવા માંડ. તું મહિનો મંત્ર ભૂલી જઈશ.” ચારિત્ર ધર્મ મહારાજાએ તેને મહામંત્ર આપ્યો : “નાÉ– મન્ન' “નથી... મારું નથી...”
For Private And Personal Use Only