________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८४
જ્ઞાનસાર ૩. ઉપદેશરુચિ : જિનવચનના ઉપદેશનું શ્રવણ કરવાનો ભાવ અને અન્ય જીવોને જિનવચનનો ઉપદેશ કરવાની ભાવના.
૪. સૂત્રરુચિ : દ્વાદશાંગીના અધ્યયન-અધ્યાપકની ભાવના. ૧૨૦ધર્મધ્યાનનાં ચાર આલંબન છે : ૧. વાચના, ૨. પૃચ્છના, ૩. પરાવર્તન અને ૪. ધર્મકથા.
અર્થાત્ સદ્ગુરુ પાસે વિનયપૂર્વક સૂત્રનું અધ્યયન કરવું. તેમાં શંકા પડે તો વિધિપૂર્વક ગુરુ મહારાજ પાસે જઈ પૃચ્છા કરવી. નિઃશંક બનેલા સૂત્રાર્થ ભૂલી ન જવાય તે માટે વારંવાર તેનું પુનરાવર્તન કરવું, અને એ રીતે આત્મસાતુ થયેલા સૂત્રાર્થના સુપાત્રની આગળ ઉપદેશ કરવો. આમ કરવાથી ધર્મધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.
૧૨ ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે ?
૧. અનિત્ય ભાવના, ૨. અશરણ ભાવના, ૩. એકત્વ ભાવના, અને ૪. સંસાર ભાવના.
આ ચાર ભાવનાઓનું નિરંતર ચિંતન કરવાથી ધર્મધ્યાન ઉજ્વળ બને છે ને આત્મસાતું થઈ જાય છે. | શ્રી ઉમાસ્વાતિ ભગવંતે પ્રશમરતિ પ્રકરણમાં “ધર્મધ્યાન'ની ક્રમશઃ ચાર ચિંતનધારાઓ બતાવી છે :
आज्ञाविचयमपायविचयं च सद्धयानयोगमुपसृत्य।
तस्माद्विपायविचमुपयाति संस्थानविचयं च ।।२४७ ।। ૧. સાવિષય :
આપ્તપુરુષનું વચન તે જ પ્રવચન છે.” આ આજ્ઞા છે. તે આજ્ઞાના અર્થનો નિર્ણય કરવો તે વિચય છે.
१२०. धम्मस्स णं झाणस्स चत्तारी आलंबणा
वायणा, पुच्छणा, परियट्टणा, धम्मकहा।- औपपातिकसूत्रे १२१. धम्मस्स णं झाणस्स चत्तारि अणुप्पेहाओ
अनित्यत्वाशरणत्वैकत्वसंसारानुप्रेक्षाः। - औपपातिकसूत्रे १२२. आप्तवचनं प्रवचनं चाज्ञा, विचयस्तदर्थनिर्णयनम् ।
For Private And Personal Use Only