________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ-અધ્યયન
૪૮૧
૨૮
બ્રહમ-અધ્યયન નિયાગ-અષ્ટકમાં કહ્યું છે :
ब्रह्माध्ययननिष्ठावान् परब्रह्मसमाहितः।
ब्राह्मणो लिप्यते नायः नियागप्रतिपत्तिमान् ।। આ શ્લોકના વિવેચનમાં વ્રહ્મ-અધ્યયન માં નિષ્ઠા-શ્રદ્ધા-આસ્થા રાખવાનું કહેવામાં આવ્યું છે.
શ્રી આચારાંગ સૂત્ર'નો પ્રથમ ભાગ એ જ બ્રહ્મ અધ્યયન. જો કે આ શ્રુતસ્કંધ છે, પરંતુ શ્રી યશોવિજયજી મહારાજે અધ્યયન તરીકે નિર્દેશ કરેલો છે. આ પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયનો હતાં. પરંતુ તેનું મહાપરિજ્ઞા' નામનું સાતમું અધ્યયન હજારેક વર્ષોથી લુપ્ત થયેલું છે.
'सत्थपरिण्णा लोगविजओ य सीओसणिज्ज सम्मत्तं । तह लोगसारनामं धुयं तह महापरिण्णा य ।। अट्ठमए य विमोक्खो उवहाणसुयं च नवमगं भणियं ।'
- બાઘાર-નિર્યુક્ટ્રિ, ૧. શસ્ત્રપરિજ્ઞા ૨. લોકવિજય ૩. શિતોષ્ણીય ૪. સમ્યત્વ ૫. લોકસાર ૯. ધૂતાધ્યયન ૭. મહાપરિજ્ઞા ૮. વિમોક્ષ ૯. ઉપધાનશ્રુત
શ્રી શીલાંકાચાર્યજી કહે છે કે “આ નવે અધ્યયનો સંયમી આત્માને મૂળગુણા અને ઉત્તરગુણોમાં સ્થિર કરનારાં છે, માટે કર્મ નિર્જરાર્થે આ અધ્યયનોનું પરિશીલન કરવું જોઈએ.' ૧૧૨. ૨૮ મું નિયાગ અષ્ટક, શ્લોક ૮.
For Private And Personal Use Only