________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦
જ્ઞાનસાર ૨૫. માયાપિંડ : નવા નવા વેશ કરીને લાવે. ૨૬. લોભપિંડ : અમુક જ વસ્તુ લાવવા ખૂબ ફરે. ૨૭. સંસ્તવદોષ : માતા-પિતાનો અને સસરા પક્ષનો પરિચય આપે. ૨૮. વિદ્યાપિંડ : વિદ્યાથી ભિક્ષા મેળવે. ૨૯. મંત્રપિંડ : મંત્રથી ભિક્ષા મેળવે. ૩૦. ચૂર્ણપિંડ : ચૂર્ણથી ભિક્ષા મેળવે. ૩૧. યોગપિંડ : યોગશક્તિથી ભિક્ષા મેળવે. ૩૨. મૂળ કર્મ ઃ ગર્ભપાત કરવાના ઉપાય બતાવે. ૩૩. શંકિત : દોષની શંકા હોય છતાં ભિક્ષા લે. ૩૪. પ્રતિ : ચોળાયેલાં ચુંથાયેલાં દ્રવ્યો લે. ૩૫. પીહિત : સચિત્ત કે અચિત્તથી ઢાંકેલી વસ્તુ લે. ૩૬. દાયક : નીચેના માણસોના હાથે ભિક્ષા લેવાથી આ દોષ લાગે.
૧. બેડીમાં બંધાયેલો, ૨. જૂતાં પહેરેલો, ૩. તાવવાળો, ૪, બાળક, ૫. કુન્જ, ૬. વૃદ્ધ, ૭. અંધ, ૮. નપુંસક, ૯. ઉન્મત્ત, ૧૦. લંગડો, ૧૧. ખાંડનારો, ૧૨. પીસનારો, ૧૩. પીંજ નારો, ૧૪. કતરનારો, ૧૫. દહીં ઝેરનારો, ૧૬, ગર્ભવતી સ્ત્રી, ૧૭. ધાવણા બાળકવાળી માતા અને ૧૮, માલિકની ગેરહાજરીમાં નોકર.
૩૭. ઉન્મિશ્ર: સચિત્ત-અચિત્ત મિશ્ર કરીને આપે તે લેવું. ૩૮. અપરિણત : પૂર્ણ અચિત્ત ન થયું હોય તેવું લેવું તે અથવા બે
સાધુમાં એકને નિર્દોષ લાગે ને બીજાને સદોષ લાગે
તે લેવું. ૩૯. લિપ્ત : મધ, દહીં વગેરેથી લેપાયેલું લેવું. ૪૦. છર્દિત : ભૂમિ પર ઢળેલું લેવું. ૪૧. નિક્ષિપ્ત : સચિત્ત સાથે સંઘટ્ટાવાળું લેવું. ૪૨. સંહત : એક વાસણને બીજા વાસણમાં ખાલી કરીને ખાલી
વાસણથી વહોરાવે. સાધુ અને સાધ્વીને આ ૪૨ દોષોની સમજ હોવી જ જોઈએ, તો જ તેઓ ભિક્ષા લાવવા માટે યોગ્ય બને.
For Private And Personal Use Only