________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦
શાનિસાર
(૩) તથાકાર : પોતે સ્વીકારેલા સુગુરુનું વચન કોઈ વિકલ્પ વિના “તહરિ' કહીને સ્વીકારી લેવું. (૪) આવશ્યકી (આવસહી) : જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે મકાનની બહાર નીકળતા આવરૂહી” બોલીને નીકળવું. આવશ્યક કાર્ય માટે બહાર જવું તે આવશ્યકી. (૫) નેલિકી (નિસીપી) :
આવશ્યક કાર્ય પૂર્ણ કરીને સાધુ મકાનમાં આવે ત્યારે પ્રવેશતાં ‘નિસીહી. બોલીને પ્રવેશ કરે.
() પૃચ્છા : કંઈ કામ ઉપસ્થિત થવું હોય તો ગુરુદેવને પૂછે : “ભગવન્! આ કામ હું
કરું?'
(૭) પ્રતિપૃચ્છા :
પહેલાં કોઈ કામ માટે ગુરુ મહારાજે ના પાડી હોય પણ વર્તમાનમાં એ કામ ઉપસ્થિત થયું હોય તો ગુરુ મહારાજને પૂછે કે : “ભગવન્! પહેલાં આપે આ કામ કરવાની ના પાડી હતી, પણ અત્યારે તેનું જ પ્રયોજન છે, જો આપની આજ્ઞા હો તો હું એ કરું?” ગુરુ મહારાજ જેમ કહે તેમ કરે.
પ્રતિપ્રચ્છા' નો બીજો અર્થ એ છે કે કોઈ કામ કરવાની ગુરુ મહારાજે હા પાડી હોય, છતાં એ કાર્ય માટે પ્રવૃત્ત થતાં પુનઃ ગુરુ મહારાજને પૂછવું. (૮) છંદણા :
સાધુ ગોચરી લાવીને સહવર્તી સાધુઓને કહે : “હું ગોચરી (ભિક્ષા) લઈ આવ્યો છું, જેને જે ઉપયુક્ત હોય તે ઇચ્છાપૂર્વક ગ્રહણ કરો.” (૯) નિમંત્રણા :
ગોચરી જતી વખતે સહવર્તી સાધુઓને પૂછે (નિમંત્રણ આપે) કે “હું આપના માટે યોગ્ય ગોચરી લાવીશ.” (૧૦) ઉપસંપર્ક
વિશિષ્ટ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે એક ગુરુકુલમાંથી બીજા ગુરુકુલમાં જવું.
For Private And Personal Use Only