________________
Shri Mahavir Jain Aradhana Kendra
જ્ઞપરિક્ષા-પ્રત્યાખ્યાન પરિક્ષા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११
જ્ઞપરિજ્ઞા-પ્રત્યાખ્યાનપરિતા
$9
૪૩૯
સમ્યગ્ આચારની પૂર્વભૂમિકામાં સભ્યજ્ઞાનની આવશ્યકતા નિશ્ચિતરૂપે મનાયેલી છે. સમ્યગ્ જ્ઞાન વિના આચારમાં પવિત્રતા, વિશુદ્ધિ અને માર્ગાનુસારિતા આવી ન શકે.
‘પાપોને જાણવાં અને પરિહરવાં' સાધક મનુષ્યનો આ આદર્શ સાધકને પાપમુક્ત બનાવે છે. આ આદર્શને શ્રી ‘આચારાંગસૂત્ર'માં ‘જ્ઞરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા'ની પરિભાષામાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ‘આચારાંગ સૂત્ર'ના પ્રથમ અધ્યયનમાં જ ચાર પ્રકારની ‘પરિક્ષા’ બતાવવામાં આવી છેઃ (૧) નામપરિજ્ઞા, (૨) સ્થાપનાપરિક્ષા, (૩) દ્રવ્યપરિજ્ઞા અને (૪) ભાવપરિક્ષા. તેમાં દ્રવ્ય અને ભાવપરિજ્ઞાના બે-બે ભેદ બતાવાયા છે : શરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિક્ષા.
પૃથ્વિકાયાદિ ષટ્કાયના આરંભ-સમારંભને કર્મબંધના હેતુ” તરીકે જાણવા તે જ્ઞપરિક્ષા અને તે આરંભ-સમારંભનો ત્યાગ કરવો તેનું નામ પ્રત્યાખ્યાનપરિજ્ઞા, મુનિ આ બંને પરિક્ષાથી સર્વ પાપઆચારોને જાણે અને તેનો ત્યાગ કરે.
For Private And Personal Use Only
ભાવપરિજ્ઞાનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં શ્રી શીલાંકાચાર્યજીએ કહ્યું છે : ભાવજ્ઞપરિક્ષા : ‘આગમ'થી-જ્ઞપરિક્ષાનો જ્ઞાતા અને એમાં ઉપયોગવાળો આત્મા પોતે જ , ‘નોઆગમ'થી જ્ઞાનક્રિયારૂપ આ અધ્યયન અથવા જ્ઞપરિજ્ઞાનો જ્ઞાતા અને અનુપયુક્ત. પ્રત્યાખ્યાનપરિજ્ઞા પણ આ પ્રમાણે સમજવી. વિશેષમાં, નોઆગમથી પ્રાણાતિપાત નિવૃત્તિરૂપ છે અને તે નિવૃત્તિ ત્રિવિધ-ત્રિવિધ સમજવાની છે.
૬૬. ૧૩ મું મૌન અષ્ટક, શ્લોક, ૨.
* दव्वं जाणण पच्चक्खाणे दविए उवगरणे ।
भावपरिण्णा जाणण पच्चक्खाणं च भावेण | | ३७।। - आचारांग, प्र. अध्य. निर्युक्तिगाथा ६७. पृथिवीविषयाः कर्मसमारम्भाः खननकृष्याद्यात्मकाः कर्मबन्धहेतुत्वेन परिज्ञाता भवन्ति ज्ञपरिज्ञया तथा प्रत्याख्यानपरिज्ञया च परिहृता भवन्ति ।
-આવારાં, પ્ર. અધ્ય. ત્તિ. ઉદ્દે. सूत्र १८