________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
જ્ઞાનસાર
કૃષભ જિનેશ્વર પ્રીતમ માહરો
ઓર ન ચાહું કંત.” આ પ્રમાણે કરી છે, તે “પ્રીતિ-અનુષ્ઠાન'માં ગણી શકાય, કારણ કે તેમાં યોગીરાજે પોતાની ચેતનામાં પત્નીપણાનો આરોપ કર્યો છે, અને પરમાત્મામાં સ્વામીપણાની કલ્પના કરી છે. સ્તવનામાં પ્રીતિરસની પ્રચુરતા વર્તાય છે. . વવનાનુષ્ઠાન : 'शास्त्रार्थप्रतिसंधानपूर्वा साधोः सर्वत्रोचितप्रवृत्तिः।"
- योगविंशिका પંચમહાવ્રતધારી સાધુ આ અનુષ્ઠાનની ઉપાસના કરી શકે. પ્રત્યેક કાળમાં અને પ્રત્યેક ક્ષેત્રમાં સાધુ-મુનિ. શ્રમણ શાસ્ત્રની આજ્ઞાઓના મર્મ સમજીને જે ઉચિત પ્રવૃત્તિ કરે, તે “વચનાનુષ્ઠાન' કહેવાય. “શ્રી ષોડશકમાં પણ આ જ રીતે વચનાનુષ્ઠાઃ બતાવાયું છે.
वचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु।
वचनानुष्ठानमिदं चारित्रवतो नियोगेन ।। . ૪. પ્રસંગનુષ્ઠાનઃ
''દીર્ધકાળ પર્યન્ત જિનવચનના લક્ષપૂર્વક અનુષ્ઠાન કરનાર મહાત્માના જીવનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના એવી આત્મસાત્ થઈ જાય છે કે પછીથી મહાત્માને એ વિચારવું પડતું નથી કે “આ ક્રિયા જિનવચનાનુસાર છે કે નહીં?” જેવી રીતે ચન્દનમાં સુવાસ એકીભૂત હોય છે તેવી રીતે જ્ઞાનાદિની ઉપાસના એ મહાત્મામાં એકરસ બની જાય છે ત્યારે તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન “જિનકલ્પી' વગેરે વિશિષ્ટ મહાપુરુષોના જીવનમાં હોઈ શકે છે.
६५. यत्त्वभ्यासातिशयात् सात्मीभूतमिव चेष्टयते सद्भिः ।
तदसडानुष्ठानं भवति त्वेतत्तदावेधात् ।। - दशम-षोडशके
For Private And Personal Use Only