________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૭
ચતુર્વિધ સદનુષ્ઠાન ૧. પ્રતિ-નુષ્ઠાન :
આત્મહિતકર અનુષ્ઠાન પ્રત્યે, અનુષ્ઠાન બતાવનાર સદ્ગુરુ પ્રત્યે અને સર્વજન્તવત્સલ તારક જિનેશ્વર ભગવંત પ્રત્યે પરમ પ્રીતિ ઉત્પન્ન થાય, અનુષ્ઠાન વિશિષ્ટ પ્રયત્નપૂર્વક કરવામાં આવે, અર્થાત્ આલસ્ય, પ્રમાદ વગેરેનો પગપેસારો ન થાય. જે સમયે અનુષ્ઠાન કરવાનું હોય એ જ સમયે કરવામાં આવે, ભલે બીજા સેંકડો કામ બગડતાં હોય!
એક વસ્તુ પ્રત્યે દઢ પ્રીતિ જાગી ગયા પછી એના પાછળ જીવ શું નથી કરતો? શાનો ત્યાગ નથી કરતો? ઉપરોક્ત હકીકત “શ્રી યોmવિશિવા' માં દર્શાવાઈ છે :
“વત્રાનુષ્ઠાને (૧) પ્રયત્નતિશયોક્તિ , (૨) પુરHI પ્રીતિરૂવદ્ય, (રૂ) शेषत्यागेन च यत्क्रियते तत्प्रीत्यनुष्ठानम् ।' ૨. મરિ-કનુષ્ઠાન :
ભક્તિ-અનુષ્ઠાનમાં પણ ઉપરથી જ ત્રણ વસ્તુઓ હોય છે, પરંતુ તફાવત આલંબનીયને આશ્રયી પડે છે. ભક્તિ-અનુષ્ઠાનમાં આલંબનીયમાં વિશિષ્ટ પૂજ્યભાવની બુદ્ધિ જાગ્રત થાય છે તેથી પ્રવૃત્તિ વિશુદ્ધતર બને છે.
“પૂજ્ય ઉપાધ્યાયજીએ પ્રીતિ અને ભક્તિનો ભેદ બતાવતાં પત્ની અને માતાનું દૃષ્ટાંત આપ્યું છે. મનુષ્યમાં પત્ની પ્રત્યે પ્રીતિ હોય છે ને માતા પ્રત્યે ભક્તિ હોય છે! બંને પ્રત્યેનાં કર્તવ્યો સમાન હોવા છતાં માતા પ્રત્યે પૂજ્યત્વની બુદ્ધિ હોવાથી તેના પ્રત્યેનું કર્તવ્ય ઉચ્ચ માનવામાં આવે છે.
અર્થાતુઅનુષ્ઠાન પ્રત્યે વિશેષ ગૌરવ જાગે, તેના પ્રત્યે મહાન સદૂભાવ ઉલ્લસિત થાય ત્યારે અનુષ્ઠાન ભક્તિ-અનુષ્ઠાન કહેવાય છે. મહાયોગી શ્રી આનંદઘનજીએ પ્રથમ જિનેશ્વરની સ્તવના६२. यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः ।
शेषत्यागेन करोति यच्च तत् प्रीत्यनुष्ठानम् ।। - दशम-षोडशके ६३. अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति।
तुल्यमपि कृत्यमनयोतिं स्यात् प्रीतिभक्तिगतम् ।। - योगविंशिका ६४. गौरवविशेषयोगाद् बुद्धिमतेः यद् विशुद्धतरयोगम् ।
क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद् भक्त्यनुष्ठानम्। - दशम-षोडशके
For Private And Personal Use Only