________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
શાન સાર આ અધ્યાત્મથી જ્ઞાનાવરણીયાદિ ક્લિષ્ટ પાપોનો નાશ થાય છે. સાધનામાં આંતરવર્ય ઉલ્લસિત થાય છે. ચિત્તની નિર્મલ સમાધિ પ્રાપ્ત થાય છે. સમ્યગુ જ્ઞાનનો પ્રકાશ લાધે છે કે જે જાત્યરત્નના તેજ જેવો અપ્રતિહત હોય છે. અધ્યાત્મનું આ દિવ્ય અમૃત અતિ દારુણ મોહવિષના વિકારોનું ઉમૂલન કરી નાખે છે! એ આધ્યાત્મિક પુરુષનું મોહ પર વર્ચસ્વ જામી જાય
૨. મવિનાયો :
ઉપરોક્ત ઔચિત્યપાલન, વ્રતપાલન અને મૈત્યાદિપ્રધાન નવ તત્ત્વોનું પ્રતિદિન અનુવર્તન-અભ્યાસ કરવો તેનું નામ ભાવનાયોગ. જેમ જેમ અભ્યાસ વધતો જાય તેમ તેમ તેમાં સમુત્કર્ષ થતો જાય અને મનની સમાધિ વધતી જાય.
આ ભાવનાયોગ સિદ્ધ થતાં અશુભ અધ્યવસાયો (વિચારો) થી જીવ નિવૃત્ત થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે શુભ ભાવોના અભ્યાસ માટે અનુકૂળ ભાવની પ્રાપ્તિ થાય છે. અને ચિત્તનો સમ્યકુ સમુત્કર્ષ થાય છે.'
ભાવનાયોગીના આંતરિક ક્રોધાદિકષાયો મંદ પડી જાય છે. ઈન્દ્રિયોનો ઉન્માદ શમી જાય છે. મન-વચન-કાયાના યોગોને તે સંયમિત રાખે છે. મોક્ષદશા પ્રાપ્ત કરવાની અભિલાષાવાળો બને છે, અને વિશ્વના જીવો પ્રત્યે વાત્સલ્ય ધારણ કરે છે. આવો આત્મા નિર્દભ હૃદયથી જે ક્રિયા કરે છે, તેનાથી તેના અધ્યાત્મ-ગુણોની વૃદ્ધિ થાય છે.” રૂ. ધ્યાનયો :
પ્રશસ્ત કોઈ એક અર્થ પર ચિત્તની સ્થિરતા થવી, તેનું નામ ‘ધ્યાન' છે. ३९. अतः पापक्षयः सत्त्वं शीलं ज्ञानं च शाश्वतम् ।
तथानुभवसंसिद्धमतृतं ह्यद एव तु ।।३५९ ।। - योगबिन्दुः ४०. अभ्यासोऽस्यैव विज्ञेयः प्रत्यहं वृद्धिसंगतः।
___ मनःसमाधिसंयुक्तः पौनःपुन्येन भावना ।।३६० ।। - योगबिन्दुः ४१. निवृत्तिरशुभाभ्यासाच्छुभाभ्यासानुकूलता।
तथा सुवित्तवृद्धिश्च भावनायाः फलं मतम् ।।३६१।। - योगबिन्दुः ४२. शान्तो दान्तः सदा गुप्तो मोक्षार्थी विश्ववत्सलः।
निर्दम्भां यां क्रियां कुर्यात् साध्यात्मगुणवृद्धये ।।२२।। - अध्यात्मसारे
For Private And Personal Use Only