________________
Shri Mahavir Jain Aradhana Kendra
અધ્યાત્માદિ પાંચ યોગ ૧. અધ્યાત્મયોગ :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘યોગ’ શબ્દની પરિભાષા ‘મોક્ષળ યોનનાવ્ યો' આ પ્રમાણે કરવામાં આવેલી છે. અર્થાત્ જેના દ્વારા જીવાત્મા મોક્ષદશા પ્રાપ્ત કરે, તે યોગ છે. આ યોગની, સાધનાની દૃષ્ટિએ ઉત્તરોત્તર વિકાસની પાંચ ભૂમિકાઓ, અનંતજ્ઞાની પરમ પુરુષોએ જોયેલી છે. તેમાં પ્રથમ ભૂમિકા છે અધ્યાત્મયોગની. ઉપાધ્યાયજીએ ‘અધ્યાત્મસાર' ગ્રંથરત્નમાં ‘અધ્યાત્મ’ ની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે :
गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या ।
प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिनाः ॥ २ ॥
39
જેમના પરથી મોહનો અધિકાર... વર્ચસ્વ ઊઠી ગયું છે તેવા આત્માઓ સ્વપરના આત્માને અનુલક્ષીને જે વિશુદ્ધ ક્રિયા કરે છે (મન, વચન, કાયાથી) તેને શ્રી જિનેશ્વરે ‘અધ્યાત્મ’ કહ્યું છે.’
૪૨૧
જીવાત્મા પરથી મોહનું વર્ચસ્વ તૂટી જતાં જીવાત્માનું આંતરબાહ્ય સ્વરૂપ કેવું બને છે, તેનું વિશદ વર્ણન, ભગવંત હરિભદ્રાચાર્યે ‘યોવિન્દુ' ગ્રંથમાં કરેલું છે :
“તે જીવનું આચરણ સર્વત્ર ઔચિત્યથી ઉજ્વલ હોય છે. સ્વ-પર પ્રત્યેનાં ઉચિત કર્તવ્યોને સમજી તદ્દનુસાર કર્તવ્યને બજાવતો હોય છે. તેનો એક એક શબ્દ ઔચિત્યની સુવાસથી મઘમઘાયમાન હોય છે.
તેના જીવનમાં પાંચ અણુવ્રત યા પાંચ મહાવ્રત વણાયેલાં હોય છે. વ્રતોનું પ્રતિજ્ઞાબદ્ધ પાલન કરતો એ મહામના યોગી લોકપ્રિય બને છે.
३७. अध्यात्मसारे अध्यात्मस्वरूपाधिकारे.
३८. औचित्याद् वृत्तयुक्तस्य वचनात्तत्त्वचिंतनम् ।
શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવંતે નિર્દેશેલાં નવ તત્ત્વોની નિરંતર પર્યાલોચના તેના મનમાં ચાલતી હોય છે. એ પર્યાલોચના મૈત્રી-પ્રમોદ-કરુણા-માધ્યસ્થ્યમૂલક હોય છે, અર્થાત્ એના ચિંતનમાં પ્રધાનતા હોય છે જીવો પ્રત્યે મૈત્રીની, પ્રમોદની, કરુણાની અને માધ્યસ્થ્યની. આ રીતે ઔચિત્ય, વ્રતપાલન અને મૈત્ર્યાદિપ્રધાન નવ તત્ત્વોનું ચિંતન, એ વાસ્તવિક ‘અધ્યાત્મ’ છે.
मैत्र्यादिसारमत्यन्तमध्यात्मं तद्विदो विदुः || ३५८ 11 - योगबिन्दु
For Private And Personal Use Only