________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્માદિ પાંચ યોગ
૪ર૩ તે ધ્યાન ધર્મધ્યાન યા શુક્લધ્યાન હોય તો તે ધ્યાનયોગ બને છે. ભોંયરામાં
જ્યાં વાયુનો પ્રવેશ ન થઈ શકે, ત્યાં સળગતા દીપકની જ્યોતિ સમાન ધ્યાન સ્થિર હોય, અર્થાતુ સ્થિર દીપકના જેવું હોય. ચિત્તનો ઉપયોગ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય વગેરે સૂક્ષ્મ પદાર્થોમાં હોવો જોઈએ. આ પ્રમાણે શ્રી યોગવિખ્યું ગ્રંથમાં પ્રતિપાદન કરાયેલું છે.
“આ ધ્યાનયોગથી પ્રત્યેક કાર્યમાં ભાવનૈમિત્ય આત્મ-સ્વાધીન બને છે. પૂર્વકર્મોના બંધની પરંપરાનો વિચ્છેદ થઈ જાય છે. ૪. સતાયો :
અનાદિકાલીન તહીન વાસનાઓ દ્વારા થતા સંકલ્પોથી જગતના જડચેતન પદાર્થોમાં જીવ ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે. ઇષ્ટમાં સુખ માને છે, અનિષ્ટમાં દુઃખ માને છે.
સમતાયોગી મહાત્મા જગતના જડ-ચેતન પદાર્થો પર એક દિવ્ય દૃષ્ટિ નાખે છે! ન તો તેને કંઈ ઈષ્ટ લાગે છે, ન અનિષ્ટ! તે પરામર્શ કરે છે :
'तानेवार्थान् द्विषतः तानेवार्थान् प्रलीयमानस्य। निश्चयतोऽस्यानिष्टं न विद्यते किञ्चिचदिष्टं वा ।'
• प्रशमरति જે પદાર્થો પ્રત્યે જીવ એક વાર દ્વેષ કરે છે, એ જ પદાર્થો પ્રત્યે તે રાગ કરે છે!” “નિશ્ચયનય થી પદાર્થોમાં કોઈ ઈષ્ટતા નથી કે કોઈ અનિષ્ટતા નથી! છે માત્ર વાસનાવાસિત જીવની ભ્રમિત કલ્પના! 'प्रियाप्रियत्वयोर्यार्थ-व्यवहास्य कल्पना।'
• अध्यात्मसारे પ્રિયાપ્રિયત્વની કલ્પના “વ્યવહારનયની છે. નિશ્ચયથી નથી કોઈ પ્રિય, નથી કોઈ અપ્રિય! 'विकल्पकल्पितं तस्माद् द्वयमेतन्न तात्त्विकम्।'
- અધ્યાત્મસારે વિકલ્પશિલ્પીએ રચેલા ઈષ્ટ-અનિષ્ટોના મહેલો તાત્ત્વિક નથી, સત્ય નથી, હકીકત નથી..
આ વિવેકજ્ઞાનવાળો સમાયોગી જગતના સર્વ પદાર્થોમાંથી ઈષ્ટાનિષ્ટની ४३. वशिता चैव सर्वत्र भावस्तैमित्यमेव च ।
अनुबन्धव्यवच्छेद उदर्कोऽस्येति तद्विदः ।।३६३ ।। - योगबिन्दुः
For Private And Personal Use Only