________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩
જ્ઞાનસાર
તેજોલેથા” “તેજોલેશ્યા' શબ્દનો પ્રયોગ જૈન-આગમોમાં ત્રણ અર્થમાં થયેલો જોવા મળે છે :
૧. જીવનું પરિણામ. ૨. તપોલબ્ધિથી પ્રગટતી શક્તિ. ૩. આન્તર આનંદ; આન્તર સુખ. “જ્ઞાનસાર” માં ગ્રન્થકારે જે કહ્યું છે :
'तेजोलेश्याविवृद्धिर्या साधोः पर्यायवृद्धितः ।
भाषिता भगवत्यादौ सेत्थंभूतस्य युज्यते ।।' આ તેજોલેશ્યા આન્તરસુખરૂપ સમજવાની છે. શ્રી ભગવતીસૂત્રના ચૌદમા શતકમાં દેવોની તેજલેશ્યા (સુખાનુભવ) સાથે શ્રમણની તેજલેશ્યાની તુલના બતાવવામાં આવી છે. ટીકાકાર મહર્ષિએ તેજોવેશ્યાનો અર્થ “સુરવાસિવા’ કરેલો છે. અર્થાત્ સુખાનુભવ.
એક મહિનાના દીક્ષાપર્યાયવાળો શ્રમણ વાણવ્યંતર દેવોની તેજલેશ્યાને અતિક્રમી જાય છે. બે મહિનાના દીક્ષાપર્યાયવાળો શ્રમણ ભવનપતિ દેવોની તેજોવેશ્યાને અતિક્રમી જાય છે. ત્રણ મહિનાના પર્યાયવાળો અસુરકુમાર દેવોની, ચાર મહિનાના પર્યાયવાળો જ્યોતિષદેવોની, પાંચ મહિનાના પર્યાયવાળો સૂર્ય-ચન્દ્રની, છ મહિનાના પર્યાયવાળો સૌધર્મ-ઈશાન દેવોની, સાત મહિનાના પર્યાયવાળો સનકુમાર-માહેન્દ્રની, આઠ મહિનાના પર્યાયવાળો બ્રહ્મ અને લાંતકદેવોની, નવ મહિનાના પર્યાયવાળ મહાશક અને સહસ્ત્રારની, દસ મહિનાના પર્યાયવાળો આનત-પ્રાણત-આરણ અને અય્યતની, અગિયાર મહિનાના પર્યાયવાળો રૈવેયક-દેવોની અને બાર મહિનાના પર્યાયવાળો અનુત્તરવાસી દેવોની તેજલેશ્યાને અતિક્રમી જાય છે.
૩૦. બીજું મગ્નતા અષ્ટક, શ્લોક ૫.
For Private And Personal Use Only