________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણપક્ષ-શુકલપક્ષ
૪૧૫ 'जो अकिरियावादी सो भवितो अभविउ वा नियमा किण्हपक्खिओ, किरियावादी नियमा भव्वओ नियमा सुक्कपक्खिओ। अंतोपुग्गलपरियट्टस्स नियमा सिज्झिहिति। सम्मद्दिढी वा मिच्छदिट्ठी वा होज्ज।'
' “જે જીવ અક્રિયાવાદી છે, ભલે તે ભવ્ય હો યા અભવ્ય હો, તે અવશ્ય કૃષ્ણપાક્ષિક છે. ક્રિયાવાદી ભવ્ય આત્મા અવશ્ય શુક્લપાક્ષિક છે અને તે એક પુદ્ગલપરાવર્તકાળમાં અવશ્ય મોક્ષાવસ્થા પામે છે. વર્તમાનમાં ભલે તે જીવ સમ્યગુ દૃષ્ટિ હોય કે મિથ્યાષ્ટિ હોય.
ચૂવાર ના મંતવ્ય અનુસાર ચરમાવર્તકાળ શુક્લપક્ષ છે; અને આ મંતવ્ય પણ તર્કસંગત લાગે છે. શુક્લપક્ષના પ્રારંભમાં જેમ અલ્પકાલીન ચંદ્રોદય થાય છે તેમ ચરમાવર્તકાળમાં આવતાં જીવના આત્મ-આકાશે કેટલાક ગુણોનો ચંદ્રોદય થાય છે. પૂજનીય આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે યોદ્દષ્ટિ સમુદય' ગ્રંથમાં ચરમાવર્તકાલીન જીવને “ભદ્રમૂર્તિ મહાત્મા કહ્યો છે. એ ભદ્રમૂર્તિ મહાત્માના ત્રણ વિશેષ ગુણો બતાવ્યા છે :
दुःखितेषु दयात्यन्त-मद्वेषो गुणवत्सु च ।
औचित्यासेवनं चैव सर्वत्रवाविशेषतः ॥३२॥ દુઃખી જીવો પ્રત્યે અત્યંત કરુણા, ગુણીજનો પ્રત્યે અદ્વેષ અને સર્વત્ર અવિશેષપણે ઔચિત્યનું પાલન, આ ત્રણ ગુણોથી સુશોભિત ભદ્રમૂર્તિ મહાત્માને શુક્લપાલિક' કહેવામાં શ્રી યશાશ્રુતરધે ના પૂવાર મહાપુરુષનું મંતવ્ય યોગ્ય લાગે છે, તત્ત્વ તુ વેવતિનો વિન્તિા તત્ત્વ તો કેવળી ભગવંતો જાણે!
“શ્રી પંઘીશ' ગ્રંથમાં યાકિનીમહત્તારાસૂન હરિભદ્રાચાર્યે શhપાલિક શ્રાવકનું વર્ણન કર્યું છે:
परलोयहियं सम्मं जो जिणवयणं सुणेइ उवउत्तो। अइतिव्वकम्मविगमा सुक्को सो सावगो एत्थ ।।२।।
(પ્રથમ વંચાશા) “સમ્યફ પ્રકારે ઉપયોગપૂર્વક જે શ્રાવક પરલોકહિતકારી જિનવચનનું શ્રવણ કરે છે અને અતિ તીવ્ર પાપકર્મ જેનાં ક્ષીણ થયેલાં છે, તે “શhપાક્ષિક શ્રાવક કહેવાય છે.
For Private And Personal Use Only