________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१
કૃષ્ણપક્ષ-શુક્લપક્ષ
અનંતકાળથી અનંત જીવો ચતુર્ગતિમય સંસારમાં પરિભ્રમણ કરી રહેલાં છે. તે જીવો બે પ્રકારના હોય છે : ભવ્ય અને અભવ્ય. જે જીવમાં મોક્ષાવસ્થા પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય છે તે જીવ ‘ભવ્ય' કહેવાય છે. જે જીવમાં મોક્ષાવસ્થા પ્રાપ્ત કરવાની યોગ્યતા નથી હોતી તે જીવ ‘અભવ્ય’ કહેવાય છે.
દ
જ્ઞાનસાર
ભવ્ય જીવનો સંસારપરિભ્રમણનો કાળ જ્યારે એક ‘પુદ્ગલપરાવર્ત’ બાકી રહે છે, અર્થાત્ મોક્ષદશા પ્રાપ્ત કરવા માટે એક પુદ્ગલપરાવર્ત કાળ બાકી રહે છે, ત્યારે તે જીવ ‘ચરમાવર્ત’માં આવ્યો કહેવાય છે.
એક પુગલપરાવર્તમાંથી પણ અડધો ઉપરાંત કાળ વ્યતીત થઈ જતાં, તે જીવ ‘શુક્લપાક્ષિક’ કહેવાય છે. પરંતુ જે જીવો આ કાળમર્યાદામાં નથી આવ્યા હોતા તે જીવો ‘કૃષ્ણપાક્ષિક' કહેવાય છે; અર્થાત્ તે જીવો કૃષ્ણપક્ષ જેવા મોહ...અજ્ઞાનના ગાઢ અંધકારમાં રહેલા હોય છે.
‘શ્રી નીવાનીવામિયમ-સૂત્ર’ના ટીકાકાર મહર્ષિ ઉપરોક્ત હકીકતનું સમર્થન કરે છે ઃ
'इह द्वये जीवाः तद्यथा - कृष्णपाक्षिकाः शुक्लपाक्षिकाश्च । तत्र येषां किञ्चिदूनार्धपुद्गलपरावर्त संसारस्ते शुक्लपाक्षिकाः इतरे दीर्घसंसारभाजिनः कृष्णपाक्षिकाः । '
For Private And Personal Use Only
આ જ વાતને પૂજ્ય ઉપાધ્યાયજીએ ‘જ્ઞાનસારના ટબ્બામાં અન્ય શાસ્ત્રીય પ્રમાણ દ્વારા પુષ્ટ કરી છે :
जेसिं अवड्ढपुग्गलपरियट्टो सेसओ य संसारो ।
ते सुक्कपक्खिया खलु अवरे पुण कण्हपक्खिया ।।
ઉપરોક્ત શાસ્ત્રકારોનાં મંતવ્યો કરતાં શ્રી વશાશ્રુતધ-સૂત્ર ના મૂળવાર નું મંતવ્ય ભિન્ન પ્રાપ્ત થાય છે. તેઓશ્રી આ પ્રમાણે પ્રતિપાદન કરે છે :
૨૯. ૧લું પૂર્ણતા અષ્ટક, શ્લોક ૮.