________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
જ્ઞાનસાર દશમું અષ્ટક છે તૃપ્તિનું. સ્વગુણોમાં તૃપ્તિ. શાન્તરસની તૃપ્તિ! ધ્યાનામૃતના ઓડકાર! મિક્ષરેડ્ડી સોવેર જ્ઞાનતૃપ્તો નિરંજન;' ભિક્ષુ-મુનિ જ જ્ઞાનતૃપ્ત બની પરમ સુખ અનુભવે. આવો જ આત્મા નિર્લેપ રહી શકે.
અગિયારમું અષ્ટક છે નિર્લેપતાનું. ભલે આખો સંસાર પાપોથી-કર્મોથી લેપાય, જ્ઞાનસિદ્ધ પુરુષ ન લેપાય. આવો જ આત્મા નિઃસ્પૃહ બની શકે.
કે બારમું અષ્ટક છે નિઃસ્પૃહતાનું. નિઃસ્પૃહી મહાત્માને આ જગત તૃણ સમાન! ન કોઈ ભય કે ન કોઈ ઇચ્છા! પછી એને બોલવાનું જ શું હોય? પછી એને સંકલ્પ-વિકલ્પો પણ શાના હોય? આવો આત્મા મૌન પાળી શકે. '
કે તેરમું અષ્ટક છે મૌનનું. નહીં બોલવારૂપ મૌન તો એકેન્દ્રિયો પણ પાળે! આ તો વિચારોનું મૌન અશુભ-અપવિત્ર વિચારોનું મૌન પાળવાનું. આવું મૌન જે પાળી શકે તે જ આત્મા વિદ્યાસંપન્ન બની શકે. છે ચૌદમું અષ્ટક છે વિદ્યાનું.
અવિદ્યાનો ત્યાગ અને વિદ્યાનો સ્વીકાર કરતો આત્મા, આત્માને જ સદા અવિનાશી જુએ છે. આવો આત્મા વિવેકસંપન્ન બને છે.
પંદરમું અષ્ટક છે વિવેકનું. દૂધ અને પાણીની જેમ મળેલાં કર્મ અને જીવને મુનિરૂપ રાજહંસ ભિન્ન કરે છે! આવો ભેદજ્ઞાની આત્મા મધ્યસ્થ બને છે.
છે સોળમું અષ્ટક છે મધ્યસ્થતાનું. કુતર્કનો ત્યાગ, રાગ-દ્વેષનો ત્યાગ અને અંતરાત્મભાવમાં રમણતા આવી એટલે મધ્યસ્થ બન્યો, આવો આત્મા નિર્ભય હોય. ક સત્તરમું અષ્ટક છે નિર્ભયતાનું.
ભયની ભ્રાન્તિ નહીં! જે આત્મસ્વભાવના અદ્વૈતમાં લીન બની ગયો તે નિર્ભયતાના આનંદને અનુભવે છે. તેને સ્વપ્રશંસા કરવી ન ગમે.
અઢારમું અષ્ટક છે અનાત્મશંસાનું. ગુણોથી પૂર્ણ છે એટલે સંતુષ્ટ છે, એને પોતાની પ્રશંસા કરવી ગમે જ
For Private And Personal Use Only