________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયક્રમ-નિર્દેશ
૩૯૯ નહીં. પોતાની પ્રશંસા સાંભળવાની એને ઈચ્છા જ ન હોય. જ્ઞાનાનન્દની મસ્તીમાં પરપર્યાયનો ઉત્કર્ષ શું કરવાનો! આને તત્ત્વદષ્ટિ મળે.
ઓગણીસમું અષ્ટક છે તત્ત્વદ્રષ્ટિનું. તત્ત્વદૃષ્ટિ રૂપીને ન જુએ, અરૂપીને જુએ! અરૂપીને જોઈને તેમાં મગ્ન થાય. આવો આત્મા સર્વ સમૃદ્ધિને પોતાનામાં જ જુએ.
વીસમું અષ્ટક છે સર્વસમૃદ્ધિનું. ઇન્દ્રની, ચક્રવર્તીની, શેષનાગની, મહાદેવની, કૃષ્ણની- બધાંની સમૃદ્ધિ વૈભવ એને પોતાના આત્મામાં દેખાય! આવું આત્મદર્શન નિરંતર ટકી રહે તે માટે મુનિ કર્મવિપાકનું ચિંતન કરે.
એકવીસમું અષ્ટક છે કર્મવિપાકનું. કર્મોનાં ફળનો વિચાર! શુભાશુભ કર્મોના ઉદયનો વિચાર કરનાર આત્મા પોતાની આત્મસમૃદ્ધિમાં સંતુષ્ટ રહે અને સંસારસમુદ્રથી તે ભયભીત હોય.
બાવીસમું અષ્ટક છે ભવોગનું. તે સંસારના વાસ્તવિક સ્વરૂપને સમજેલો આત્મા ચારિત્રક્રિયામાં એકાગ્રતાવાળો બને તેથી તેને લોકસંજ્ઞા ન સ્પર્શે.
આ ત્રેવીસમું અષ્ટક છે લોકસંજ્ઞાત્યાગનું.
લોકસંજ્ઞાની મહા નદીમાં મુનિ ન તણાય. એ તો સામા પ્રવાહે ચાલનારો વિર હોય છે. લોકોત્તર માર્ગે ચાલતો તે મુનિ શાસ્ત્રષ્ટિવાળો હોય,
ચોવીસમું અષ્ટક છે. શાસ્ત્રનું. એની દૃષ્ટિ જ શાસ્ત્ર. “કામવરવૂ સહૂિ' - સાધુની આંખો શાસ્ત્ર જ હોય. શું આવો મુનિ પરિગ્રહી હોય? તે તો અપરિગ્રહી હોય.
પચીસમું અષ્ટક છે પરિગ્રહત્યાગનું. બાહ્ય-અંતરંગ પરિગ્રહના ત્યાગી મહાત્માનાં ચરણે દેવો પણ નમતા હોય છે. આવાં મુનિવરો જ શુદ્ધ અનુભવ કરી શકે.
છવ્વીસમું અષ્ટક છે અનુભવનું. અતીન્દ્રિય પરમ બ્રહ્મને પમાડનાર અનુભવનો અનુભવી મહાત્મા કેવો મહાન યોગી બની જાય!
For Private And Personal Use Only