________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા
૩પ૯ લવણ ઉતારવાની ભૂલ ક્રિયા એ તો તાત્ત્વિક માર્ગનું એક માત્ર પ્રતીક છે.
આરતી ઉતારો! સામર્થ્યયોગ'ની આરતી ઉતારો! સામર્થ્યયોગ “ક્ષપકશ્રેણિમાં” હોય છે. તેના બે પ્રકાર છે : ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ, ધર્મસંન્યાસનો લવણ ઉતારવાની ક્રિયામાં સમન્વય કર્યો, આરતીમાં યોગસંન્યાસ'નો સમન્વય કરીએ.
યોગનો સંન્યાસ એટલે યોગનો ત્યાગ, કાયાદિનાં કાર્યોનો ત્યાગ. કાયોત્સર્ગાદિ ક્રિયાઓનો પણ ત્યાગ કરવાનો. જો કે એ ત્યાગ કેવળજ્ઞાની ભગવંતો કરે છે... આપણે તો માત્ર તેના કલ્પનાલોકમાં વિચારીને થોડીક ક્ષણો માટે એ કેવળજ્ઞાનીઓની દુનિયાનો આસ્વાદ અનુભવવાનો છે.
આતમદેવની આરતી ઉતારવા માટે “સામર્થ્યયોગી' ન બની શકીએ આપણે, પરંતુ “ઇચ્છાયોગી' બનીને ધર્મસંન્યાસ અને યોગસંન્યાસની મધુરતા તો જરૂર માણી શકીએ.
આત્માની ઉચ્ચતમ્ અવસ્થાનું અહીં પ્રતિપાદન છે. પૂજાના માધ્યમથી એ અવસ્થા અહીં બતાવાઈ છે. જ્ઞાનયોગી કેવી રીતે પૂજન કરે, એ બતાવાયું છે. આ પૂજન જ્ઞાનયોગી જ કરી શકે. સામાન્ય કક્ષાનો જ્ઞાની આ પૂજન કરી શકે. પરંતુ વિશેષતઃ જ્ઞાનપરાયણ એવા મુનિવરો માટે જ આ પૂજનવિધિ બતાવવામાં આવી છે. સંયમી અને જ્ઞાની મહાત્મા આ અપૂર્વ અદ્ભુત પૂજન કરીને અપૂર્વ અને અદ્દભુત આનંદ અનુભવે.
આ પ્રમાણે લવણ ઉતારવાની અને આરતી ઉતારવાની વિધિ બતાવવામાં આવી છે.
स्फुरन्मङ्गलदीपं च स्थापयानुभवं पुरः।
योगनृत्यपरस्तौर्यत्रिकसंयमवान् भव ।।६।।२३०।। અર્થ : અનુભવરૂપ સ્કુરાયમાન મંગલ દિપકને આગળ (આત્માની આગળ) સ્થાપન કર. સંયમયોગરૂપ નાટ્યપૂજામાં તત્પર થયેલો, ગીત, નૃત્ય અને વાજિંત્ર-આ ત્રણના સમૂહના જેવો સંયમવાળો થા. (એક વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ તે સંયમ કહેવાય). વિવેચન : હવે ચાલો દીપકપૂજા કરીએ.
આતમદેવની સન્મુખ દીપકનું સ્થાપન કરવાનું છે. એ દીપકનું નામ છે અનુભવ! “અનુભવની પરિભાષા પૂજ્ય ઉપાધ્યાયજીએ આપી જ છે.
For Private And Personal Use Only