________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
જ્ઞાનસાર આઠ મદના ત્યાગની ભાવના એ અષ્ટમંગલના આલેખનની પૂજા. શુભ સંકલ્પોનું આત્મજ્ઞાનમાં વિલીનીકરણ એ ધૂપ-પૂજા!
ક્યારે એવો અપૂર્વ અવસર આવશે કે આવી પૂજા કરી પરમાનન્દનો આસ્વાદ ચાખીશું?
प्राग्धर्मलवणोत्तारं धर्मसंन्यासवलिना ।
कुर्वन् पूरय सामर्थ्यराजन्नीराजनाविधिम् ।।५।।२२९ ।। અર્થ : ધર્મસંન્યાસરૂપ અગ્નિ વડે પૂર્વના ક્ષાયોપથમિક ધર્મરૂપ લવણ ઉતારતો (તેનો ત્યાગ કરતો) સામર્થ્યયોગરૂપ શોભાયમાન આરતીની વિધિ પૂર્ણ કર. વિવેચન : ધર્મસંન્યાસ એ અગ્નિ છે.
ઔદયિક ધર્મ અને ક્ષાયોપથમિક ધર્મ એ લવણ છે. સામર્થ્યયોગ એ સુંદર આરતી છે. પૂજનવિધિમાં આ બે ક્રિયાઓ પણ મહત્ત્વપૂર્ણ હોય છે : (૧) લવણ ઉતારવું, અને (૨) આરતી ઉતારવી.
અહીં આ બે ક્રિયાઓને કેવું તાત્વિક સ્વરૂપ આપવામાં આવ્યું છે! પરંતુ આ પૂજન “ક્ષપકશ્રેણિ” માંડનાર જીવ કરી શકે! ક્ષપકશ્રેણિમાં જ્યારે જીવ બીજું અપૂર્વકરણ કરે છે ત્યારે તાત્ત્વિક રીતે આ “ધર્મસંન્યાસ” નામનો સામર્થ્યયોગ હોય છે; અર્થાતુ અહીં ક્ષમા-આર્જવ-માર્દવ વગેરે ક્ષાયોપશમિક ધર્મોથી યોગી નિવૃત્ત થાય છે.
પરંતુ જેઓ ક્ષપકશ્રેણિ ન માંડી શકે તેના માટે પણ “ધર્મસંન્યાસ' બતાવાયો છે; ઔદયિક ધર્મનો સંન્યાસી સંન્યાસ એટલે ત્યાગ, અજ્ઞાન, અસંયમ, કષાય, વાસનાઓ વગેરેનો ત્યાગ તે ધર્મસંન્યાસ કહેવાય. આ ત્યાગ કરવો એનું નામ “લવણ ઉતારવું! આવો ધર્મસંન્યાસ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા શ્રાવક-સાધુને હોય. જ્યારે પેલો ઉપરનો ધર્મસંન્યાસ તો ક્ષપકશ્રેણિમાં જ હોય.
ધર્મસંન્યાસના અગ્નિમાં ક્ષાયોપથમિક ધર્મોને નાખીને લૂણ ઉતારવાનું ત્યારે પેલું કવિનું કાવ્ય સાર્થક બને છે :
જિમ જિમ તડ તડ લૂણ જ ફૂટે, તિમ તિમ અશુભ કર્મબંધ તૂટે.’
For Private And Personal Use Only